________________
આહારવિચાર
૨૦૩ પ્રાણોનાં શરીરને પ્રાણરહિત કરી, તેમનો વિનાશ કરે છે. પછી પોતે પૂર્વે ભક્ષણ કરેલાં તેમજ અત્યારે પણ ત્વચાથી ભક્ષણ કરાતાં તે શરીરને તેઓ પચાવી, પિતારૂપ કરી દે છે. આમ તે વૃક્ષો પૃથ્વીમાં ઉત્પન્ન થઈ પૃથ્વીને આધારે રહે છે તથા વધે છે. તે વૃક્ષનાં બીજાં પણ (મૂળ, શાખા, ડાળી, પાંદડાં, ફૂલ વગેરે) વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તથા આકૃતિવાળાં અને વિવિધ પ્રકારનાં શારીરિક પરમાણુઓનાં બનેલાં અંગે હોય છે. તે બધા (પણ) સ્વતંત્ર છે, અને પિતપોતાનાં કર્મોને કારણે તે રૂપે ઉત્પન્ન થયા છે, એમ (ભગવાન તીર્થકરે) અમને કહ્યું છે.
(૨) કેટલાક વનસ્પતિજીવો ઉપર જણાવેલાં પૃથ્વીયોનીય વૃક્ષમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તથા તેમને રસ ચૂસી તથા બીજાં પણ પાણું, તેજ, વાયુ અને વનસ્પતિશરીરનું ભક્ષણ કરી, તેમને આધારે રહે છે તથા વધે છે.
(૩) તે જ પ્રમાણે કેટલાક વનસ્પતિ છે તે વૃક્ષયનીય વૃક્ષમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે તથા તેમને રસ ચૂસી. . . તેમને આધારે રહે છે તથા વધે છે.
(૪) વળી કેટલાક જીવો તે વૃક્ષનીય વૃક્ષોમાં મૂળરૂપે, કંદરૂપે, થડરૂપે, ત્વચારૂપે, ડાળીરૂપે, કુંપળરૂપે, પાંદડાંરૂપે, ફળરૂપે તથા બીજરૂપે ઉત્પન્ન થાય છે, તથા તેમને રસ ચૂસી. . . તેમને આધારે રહે છે તથા વધે છે. જે
કેટલાક વૃક્ષોમાં વૃક્ષવલ્લી તરીકે ઉત્પન્ન થાય છે. તેમની બાબતમાં પણ ઉપર પ્રમાણે ચારે આલાપકે
૧. ઉપર પ્રમાણે બાકીનું ઉમેરી લેવું. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org