________________
ઉપસંહાર ઉપદેશ આપેલો છે. કેમકે, તેઓ સદા સત્યથી સંપન્ન હે હંમેશાં ભૂતપ્રાણીઓ પ્રત્યે મૈત્રીયુક્ત હતા. [૧-૩]
ભૂતપ્રાણીઓને દેષ ન કરે એ જ સંયમી પુરુષોનો સાચે ધર્મ છે. બુદ્ધિમાન પુરુષો આ જગતમાં રહેલા પાપને જાણ, તેમાંથી છૂટા થઈ જાય છે. કારણ, કર્મનું યથાર્થ સ્વરૂપ સમજી જે નવું કર્મ કરતા નથી, તેને નવું કર્મબંધન પણ પ્રાપ્ત થતું નથી. બાર ભાવનાઓ રૂપી
ગથી વિશુદ્ધ થયેલા અંત:કરણવાળે તે સંયમી પુરુષ નાવની પેઠે સામે કિનારે પહોંચી જઈ, સર્વ દુઃખેથી મુક્ત થાય છે. [૪-૭]
મનુષ્યજન્મરૂપી આ અવસર અનુપમ છે. મનુષ્યજન્મથી યુત થનારને પછી સમ્યમ્ જ્ઞાન થવું દુર્લભ છે, તેમજ ધર્મનું રહસ્ય પામી શકે તેવી ચિત્તવૃત્તિ પણ દુર્લભ છે. મનુષ્યલકમાં આપણે ધર્મની આરાધના માટે જ મનુષ્ય થયા છીએ. લેકત્તર ધર્મનું અનુસરણ કરનાર કાંતિ કૃતકૃત્ય થઈ જાય છે, અથવા ઉત્તમ ગતિને પામે છે. માટે મનુષ્યદેહ પ્રાપ્ત કરી, કર્મોને નાશ થાય એવું પરાક્રમ પ્રગટાવી, ઈદ્રિના પ્રવાહોને રોકી, વિકારરહિત થવા પ્રયત્નો કરો. કારણકે, ત્યાં સુધી ધર્મમાર્ગમાં આચરણ અસંભવિત છે. સ્ત્રીઓ અને તેવા બીજા કામભોગો ડુકકરને ફાંસામાં સપડાવનારની નીવાર જેવા છે. જેઓ સ્ત્રીઓને સેવતા નથી, તેઓ આ સંસારમાં મુક્ત (જેવા) છે. વિષયે છાનો અંત લાવનાર પુરુષ મનુષ્યના ચક્ષુરૂપ છે. માટે એ “અંત પામવાને જ પ્રયત્નશીલ થાઓ.
૨, જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org