________________
૨૦૬ મહાવીરસ્વામીને સંચમધર્મ
તે જ પ્રમાણે પાંચ ઇંદ્રિયવાળાં જળચર પ્રાણીઓ જેવાં કે, મચ્છ, શું શુંમાર વગેરે માટે સમજવું. માત્ર, તેઓ નાનાં હેય છે ત્યાં સુધી (માતાના દૂધને બદલે) પાણીને રસ ખાય છે; પછી મોટાં થયાં બાદ વનસ્પતિ તથા બીજા સ્થાવરજંગમ પ્રાણે ખાય છે.
તે જ પ્રમાણે ચાર પગવાળાં, જમીન ઉપર ચાલનારાં, પાંચ ઇન્દ્રિયવાળાં પ્રાણુઓ જેવાં કે, એક ખરીવાળાં, બે ખરીવાળાં, સોનીની એરણ જેવા પગવાળાં (હાથી, ગેંડો વગેરે) તથા નહેરવાળાં (સિંહ, વાઘ વગેરે) પ્રાણીઓનું સમજવું. માત્ર તેઓ નાનાં હોય છે ત્યાં સુધી માતાનું દૂધ પીએ છે. પછી મોટાં થઈ વનસ્પતિ તથા બીજા સ્થાવરજંગમ પ્રાણો ખાય છે.
તે જ પ્રમાણે પેટે ચાલનારાં પાંચ ઈદ્રિયવાળાં સાપ, અજગર, આશાલિક, મહેરમ વગેરે પ્રાણીઓનું સમજવું. તેઓમાંનાં કેટલાંક ઈંડાં મૂકે છે, તથા કેટલાંક બચ્ચાંને જન્મ આપે છે. તેઓ નાનાં હોય છે ત્યાં સુધી વાયુનો આહાર કરે છે. પછી મોટાં થઈ, વનસ્પતિ તથા બીજા સ્થાવરજંગમ પ્રાણે ખાય છે.
તે જ પ્રમાણે ભુજાવડે જમીન ઉપર ચાલનારાં, પાંચ દિવાળાં પ્રાણીઓ જેવાં કે, છે, નેળિયા, શિહેળી, કાચંડ, સલ્લ, સરવ, ખર, ઘોળી, વિસ્તંભર, ઉંદર, કાળ, પલાઈ બિડાલી, જેહ અને ચઉપાઈ વગેરેનું પણ
સમજવું.
તે જ પ્રમાણે આકાશમાં ઊડનારાં પાંચ ઇંદ્રિવાળાં પંખીઓ જેવાં કે, ચર્મમય પાંખવાળાં (ચામાચીડિયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org