________________
જુદાં જુદાં વિદને પામ્યા હતા. તે પછી એ બધા પદાર્થોને ત્યાગ કરી, તમે શા માટે દુઃખ વેઠો છો?” [૧-૫
તે જ પ્રમાણે બીજા કેટલાક એ આક્ષેપ કરે છે કે, “સુખ વળી દુઃખકર સાધનેથી પ્રાપ્ત થતું હશે ? તો પછી તમે લોકો આત્યંતિક સુખની પ્રાપ્તિ માટે આવાં દુઃખકર કઠેર સાધને શા માટે આચરે છે ? આ તે તમારે કેવોક અવળા માર્ગ છે?” [૬-૭]
તેમના જેવા જ બીજા વળી કહે છે, “સ્ત્રીઓ સાથે કામગ ભેગવવામાં શો દોષ છે કે તમે તેને ત્યાગ કરે છો ? તેમાં કોઈને પીડા નથી થતી કે કાંઈ પાપ ચોટતું નથી; પણ બેઉને શાંતિ થાય છે.” [૮–૧૨]
પરંતુ મહાકામી નાસ્તિક પુરુષોના આવા શબ્દો સાંભળી, ડાહ્યા ભિક્ષુએ ડામાડોળ થઈ જઈ પોતાના સાધનમાર્ગ વિષે અશ્રદ્ધાળુ ન બની જવું. જગતમાં વિવિધ માન્યતાવાળા તથા વિવિધ આચારવાળા પુરુષો પિતાને શ્રમણ કહેવડાવતા ફરે છે. તેમના આવા લોભાવનારા કે આક્ષેપ કરનારા શબ્દો સાંભળીને ગૂંચવાઈ ન જવું. માત્ર વર્તમાન સુખમાં જ રાચતા તે મૂર્ખ લેકે જાણતા નથી કે, આયુષ્ય અને જુવાની તે ક્ષણભંગુર છે. અંતકાળે તે લેકે જરૂર પસ્તાય છે. માટે બુદ્ધિશાળી પુરુષે તે, વખત છે ત્યાં સુધી, પ્રબળ પુરુષાર્થથી વૈતરણ જેવા એ દુસ્તર કામભોગોમાંથી નીકળી જઈ સંત પુરુષોએ ઉપદેશેલા માર્ગ અનુસાર સંસારપ્રવાહથી મુક્ત થવાનો પ્રયત્ન કરો. જેઓ કામભોગને તથા પૂજન સત્કારની કામનાને ત્યાગ કરી શકયા છે, તેઓ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org