SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ મહાવીરસ્વામીને સંયમ ધર્મ આહારની બાબતમાં તેણે પૂર્ણ સંયમ સ્વીકારવો. પિતાને ઉદેશીને ગૃહસ્થ તૈયાર કરેલું, ખરીદેલું, ઊછીનું આણેલું, કે પોતે જ્યાં રહેતો હોય ત્યાં ગૃહસ્થ લઈ આવ્યો હોય તેવું, કે તે બધાના અંશેવાળું ભિક્ષાન્ન તેણે ન સ્વીકારવું. તેણે માદક આહારનો સર્વથા ત્યાગ કરે. તથા જેનાથી માત્ર જીવિત ટકી રહે, તેટલું જ અન્નપાન માગી લાવવું. વધારે માગી લાવી, બીજાને આપી દેવું પડે તેમ ન કરવું. [૧૪-૫, ૨૩] ચારિત્રવાન ભિક્ષુએ કઈ ને સંગ ન કરવો. કારણ, તેમાં સુખના વેશમાં જોખમ રહેલાં છે. માટે વિદ્વાને તેનાથી ચેતતા રહેવું. તેણે સંસારીઓ સાથે મંત્રણ, તેમની ક્રિયાઓની પ્રશંસા, તેમની સાંસારિક ગૂંચવણમાં સલાહ, તેમના ઘરમાં બેસીને કે, તેમના વાસણમાં ભોજન કે પાન, તેમનાં કપડાં પહેરવાં, તેમના ઘરમાં બેસી તેમના ખબર સમાચારની પૂછપરછ, તેમના તરફથી યશ, કીતિ, પ્રશંસા અને વંદન પૂજનની કામના, તેમના ઘરમાં ખાસ કાંઈ કારણ વિના સૂઈ જવું, ગામનાં છોકરાંની રમતમાં ભળવું, અને મર્યાદા મૂકીને હસવું—એ બધાંને ત્યાગ કરે. કારણ, તેમાંથી અનેક અનર્થોની પરંપરા જન્મે છે. [૧૬–૯; ૨૦–૨; ૨૮-૯] તેણે નકામી છતાં અનર્થકારક પ્રવૃત્તિ સહેજ પણ કરવી નહી. જેમકે, જુગાર રમતાં ન શીખવું, કલહકંકાસ ન કરવા, કે પૂર્વે કરેલી ક્રીડાઓનું સ્મરણ ન કરવું. તેણે બેલવામાં પણ ધર્મથી નિષિદ્ધ એવું કાંઇ બેલિવું નહીં; તથા બોલવા બેસે ત્યારે બેલ્યા જ ન કરવું. બીજના મર્મસ્થાનને આઘાત પહોંચે તેવું બેલવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy