SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ મહાવીરસ્વામીને સંયમ ધર્મ ક્ષત્રિયોમાં દંતવક્રની પેઠે, દાનોમાં અભયદાનની પેઠે, સત્ય વચનામાં પારકાને પીડા ન ઉપજાવનાર વચનની પેઠે, તપમાં બ્રહ્મચર્યની પેઠે, વધુ જીવનારાઓમાં લવસતમ દેવોની પેઠે. સભાઓમાં સુધર્માની ૩ સભાની પેઠે, તથા સર્વ ધર્મોમાં નિર્વાણની પેઠે, તે જ્ઞાતપુત્ર મહામુનિ મહાવીર સર્વ મુનિઓમાં તથા સર્વ મનુષ્યોમાં જ્ઞાન, શીલ અને તપની બાબતમાં સર્વોત્તમ હતા. [૧૫,૧૮-૨૪] આ લોક તથા પરલોકના સર્વ કામગોનો ત્યાગ કરી, દુઃખક્ષય કરવાના હેતુથી તેમણે અતિ દુષ્કર તપ આચર્યું હતું; અને સ્ત્રીભગ, રાત્રોજન તથા તમામ ભોગ પદાર્થોનો હમેશાં ત્યાગ કર્યો હતો. પછી સર્વોત્તમ શુકલ ધ્યાન પ્રાપ્ત કરી, તે મહામુનિ પરમ સિદ્ધિને પામ્યા હતા. તેમના સમયમાં પ્રચલિત ક્રિયાવાદી, અક્રિયાવાદી, વૈનયિક અને અજ્ઞાનવાદીઓને સર્વ વિરોધી વાદે જાણવા છતાં, તેમણે જીવનપર્યત પિતાને યોગ્ય લાગતે સંયમધર્મ આચર્યો હતો. તથા સર્વ પદાર્થોનું સ્વરૂપ જાણુને, લેકે ના કલ્યાણ અર્થે હિતકર એ તે ધર્મ, દીપકની પેઠે પ્રગટ કર્યો હતો. તેજસ્વી અગ્નિની જેમ તે ધર્મ સર્વ કર્મોને નાશ કરનાર છે. [૧૫–૧૯; ૨૬-૨૮] ૧. મહાભારત, સભાપર્વ, અ. ૩૨. લે. ૩ માં એમનું વર્ણન છે. ૨. “લવ” એટલે મુહૂર્તને ૧૭ મે ભાગ. આ દેવ વિષે એમ કહેવાય છે કે, તેઓ માત્ર સાત લવ વધારે છે તે સિદ્ધ થઈ જાય. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૩. ૪. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy