________________
મહાવીરસ્વામીને સંયમમ બુદ્ધિવાળા હોય છે, કે બીજાના પરિગ્રહમાં અનુમતિવાળે છે, ત્યાં સુધી તે દુઃખમાંથી છૂટી શકતું નથી. જ્યાં સુધી તે જાતે પ્રાણુની હિંસા કરે છે, કે બીજા પાસે કરાવે છે, કે કરનાર કેઈને અનુમતિ આપે છે, ત્યાં સુધી તેનું વેર વચ્ચે જાય છે, અર્થાત્ તેને શાંતિ નથી હોતી. પોતાના કુળમાં કે સગાંસંબંધીમાં મેહમમતાવાળો મનુષ્ય, છેવટે છેતરાઈને નાશ પામે છે; કેમકે, ધન વગેરે પદાર્થો કે સગાંસંબંધી સાચું રક્ષણ કરી શકતાં નથી.
આમ જાણીને, બુદ્ધિમાન મનુષ્યો પોતાના જીવનનું સાચું મહત્ત્વ વિચારી, આવાં કર્મબંધનનાં કારણોથી દૂર રહે છે. રિ-૫]
પરંતુ આ સાધને ન ગણકારી, કેટલાક શ્રમણ ને બ્રાહ્મણ પિતાના મતમતાંતરને વળગી રહે છે ને કામભોગમાં રાવ્યા કરે છે. કેટલાક માને છે કે, “આ જગતમાં જે છે તે પૃથ્વી, પાણી, તેજ, વાયુ ને આકાશ એ પાંચ ભૂતે માત્ર છે. છો જે દેહી કે જીવ, તે આ પાંચમાંથી જ નીપજે છે. એટલે એ પાંચ નાશ પામે તેની સાથે દેહી જીવને પણ અંત આવે છે. ૩ [ –૮] બીજા
૧. એટલે કે આસક્ત. જુઓ તત્ત્વાર્થસૂત્ર ૭. ૧૨ : મૂછ પરિષ: “પદાર્થોમાં આસક્તિ, તેનું નામ પરિગ્રહ.”
૨. બૌદ્ધ ગ્રંથોની પેઠે અહીં પણ શ્રમજીબ્રાહ્મણ એ ભેગે શબ્દ, “ જુદા જુદા પંથના પ્રચારક ” એવા સામાન્ય અર્થમાં જ વપરાયે છે.
૩. મૂળમાં આ મતનું કાંઈ નામ નથી. બીજા ખંડમાં (૨. ૧. ૧૦.) આ મતને મૂળમાં “પંચમહાભૂતિક” તરીકે ઉલ્લેખ્યો છે. નિયુક્તિકાર ભદ્રબાહુએ (ઈ. સ. પૂ. ૨૯૭) આ વિભાગને “પંચમહાભૂત” નો કહ્યો છે અને ટીકાકાર શીલાંકદેવે (ઈ. સ. ૮૭૬) આને ચાર્વાક મત કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org