________________
અધ્યયન ૧૦ મું
સમાધિ શ્રી સુધર્મસ્વામી આગળ કહેવા લાગ્યા :
હું જે મોક્ષમાર્ગ તમને કહી સંભળાવું છું, તે માર્ગ મતિમાન મહાવીરે ધર્મને સાક્ષાત્કાર કર્યા બાદ ઉપદેશેલે છે. તે માર્ગ સીધે તેમજ અમેઘ છે. તેને સ્વીકાર કરનારા ભિક્ષુએ ચિત્તની સર્વ પ્રકારની ચંચળતા દૂર કરી, તથા સર્વ સંકલ્પથી રહિત બની, કોઈ પણ ભૂતપ્રાણીને દુઃખનું કારણ બન્યા વિના વિચરવું. એક વખત સંન્યાસ લીધા પછી તેણે દીન તથા ખિન્ન ન બની જવું. જેઓ ભેગેની બાબતમાં દીન વૃત્તિવાળા હોય છે, તેઓ પાપકર્ષ કર્યા જ કરે છે. તેથી જિનાએ ચિત્તની અત્યંત સ્વસ્થતા અને એકાગ્રતા પ્રાપ્ત કરવાનું ઉપદેશ્ય છે. માટે મનુષ્ય જાગ્રત રહેવું, એકાગ્ર રહેવું તથા વિવેકવિચારમાં પ્રીતિવાળા થઈ સ્થિર ચિત્તવાળા બનવું. [૧-૩; ૬-૭]
જુઓ તે ખરા ! સ્ત્રીઓમાં આસક્ત થયેલા જુદા જુદા પ્રાણે અને સરવો દુઃખથી પીડિત થઈ કેટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org