SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ર મહાવીર સ્વામીને સંયમધમી શાસ્ત્રોમાં કુટિલ સ્ત્રીઓના હાવભાવ, તથા તેમનું માયાવીપણું જાણવા છતાં, અને હવેથી નહીં કરીએ એવા સંકલ્પ કરવા છતાં, એ અપકર્મ કર્યા જ કરે છે. [૨૧-૨૪] તેવા ભિક્ષુ બહારથી તો સદાચરણની અને મેક્ષમાર્ગની વાતે બમણા જોરથી કર્યા કરે છે. કારણ, દુરાચરણીનું જોર જીભમાં હોય છે ! છતાં, તેમનું સાચું સ્વરૂપ અંતે પ્રગટ થયા વિના રહેતું નથી. તે વખતે તે સાચી વાત કબૂલ કરવાને બદલે ઊલટા પિતાની નિર્દોષતાનાં બણગાં ફૂંકે છે, અને “એવું મહીન કર્મ તે હું કરું ?” એમ કહી, ઉપરથી ગલને બતાવે છે. કોઈ વાર ઉઘાડે છોક પકડાઈ જાય, તે તે કહે છે, “હું કાંઈ પાપ નહોતો કરતો, તે તે માત્ર મારા ખોળામાં સૂઈ રહી હતી!” આમ એ મૂર્ખ માણસ આબરૂ સાચવવા જૂઠું બેલી, બેવડું પાપ કરે છે. માટે પ્રથમથી જ સ્ત્રીઓના નિકટ પ્રસંગમાં આવવું નહીં, એ પ્રથમ બુદ્ધિલક્ષણ છે. [૧૭–૧૯, ૨૮-૨૯]. એક વાર તેવા પ્રસંગમાં આવી, કઈ સ્ત્રીના પ્રેમમાં પડન્યા પછી તેવા ભોગેચ્છ ભિક્ષુઓની શી દશા થાય છે તેના નમૂના તરીકે, ભિલુના ગૃહસંસારનું વર્ણન હું કહું છું તે તમે સાંભળો. અને એ બધું કંઈ કલ્પિત નથી પણ સ્ત્રીઓમાં ફસાયેલા ઘણા ભિક્ષુઓએ ખરેખર કરેલું છે ! જ્યાં સુધી ભિક્ષુ પિતાના વશમાં આવ્યા નથી હોતા, ત્યાં સુધી તે સ્ત્રી તેને અત્યંત સ્નેહ દર્શાવતી કહે છે, હે ભિક્ષુ, હું તમારી પ્રિયતમા હોવા છતાં, હું સંસારી હોવાને કારણે જ તમે મારી સાથે સહવાસ ન કરી શકતા હો, તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy