________________
મોક્ષમાર્ગ
ટિપણે ટિપ્પણ નં૧ : સૂત્રકૃતાંગમાં ઠેરઠેર એવું વાક્ય આવે છે કે : “ભગવાને પૃથ્વી આદિ જીવોના છ વર્ગોને કર્મબંધનનાં નિમિત્ત કહ્યા છે. ” પુનરાવર્તન દૂર કરવાના ઇરાદાથી, એ વાકય અનુવાદમાં ટૂંકાવ્યું છે કે પડતું મૂક્યું છે. પરંતુ આ એક ઠેકાણે નીચેની નોંધ કરતા જવાની જરૂર છે. તે, એ વાક્ય પાછળ રહેલા પાપ વિષેના જૈન સિદ્ધાંતની. એ સિદ્ધાંત એવો લાગે છે કે, દરેક પ્રકારના પાપકર્મથી આપણે કોઈ ને કોઈ પ્રાણી પ્રત્યે દ્રોહ કે હિંસા કરીએ છીએ. તેથી એમ કહી શકાય કે, દરેક પાપકર્મ કોઈ ને કોઈ પ્રાણ પ્રત્યે હોય છે. બીજા શબ્દોમાં, જુદાં જુદાં પ્રાણીઓ દરેક પાપકર્મમાં નિમિત્તરૂપે હોય છે. તેથી જ જૈન ધર્મ અહિંસારૂપી એક જ વ્રતમાં બધાં પાપકર્મોને ત્યાગ સમાવી લે છે. કારણ કે, તમામ પ્રકારનાં પાપકર્મને ત્યાગ કર્યા વિના સંપૂર્ણ અહિંસક થવાય જ નહિ. એટલે જૈન દષ્ટિએ અહિંસા જ સંપૂર્ણ ધર્મ છે – એક જ ધર્મ છે. એટલે આ તથા પહેલાંના પ્રકરણમાં સંપૂર્ણ સમાધિ, મોક્ષમાર્ગ કે ધર્મ કહી બતાવવાનું કહી, સૂત્રકાર માત્ર અહિંસા જ રજૂ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org