________________
સુભાષિત
૨૭ જે વસ્તુનું તત્ત્વ સમજ્યા નથી, તેવા મિયાદષ્ટિવાળા પુરુષ લેકામાં પૂજ્ય ગણાતા હોય તેમજ ધર્માચરણમાં મહા વીર જેવા હોય, તે પણ તેઓને બધે પુરુષાર્થ અશુદ્ધ છે અને તેનાથી તેમને બંધન જ થાય છે. (૮–૨૨)
जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो ।
सुद्धं तेसिं परक्वन्तं, अफलं होइ सव्वसो ॥ પરંતુ જે પુરુષો વસ્તુનું તત્ત્વ સમજ્યા છે, તેવા જ્ઞાની પુરુષોનું ધર્માચરણ શુદ્ધ છે અને તેને લીધે તેઓ બંધાતા નથી. (૮–૨૩)
तेसि पि न तवो सुद्धो, निक्खन्ता जे महाकुला । जं नेवन्ने वियागन्ति, न सिलोगं पवेज्जए ।
મોટા કુળમાં ઉત્પન્ન થયેલા હોઈને જેઓએ સંન્યાસ લીધે હોય, અને જેઓ મહા તપસ્વી હોય, તેવાઓનું તપ પણ જે કાંતિની ઈચ્છાથી થયેલું હોય તે તે શુદ્ધ નથી. જે તપ બીજા જાણતા નથી, તે જ ખરું તપ છે. પિતાની પ્રશંસા કદી ન કરવી. (૮-૨૪)
अप्पपिण्डासि पाणासि, अप्पं भासेज सुब्बए । खन्तेऽभिनिव्वुडे दन्ते, वीतगिद्धी सया जए ।
સુંદર વ્રત ધારણ કરનારા પુરુષે થોડું ખાવું, ડું પીવું અને થોડું બોલવું; તથા ક્ષમાયુક્ત, નિરાતુર, જિતેંદ્રિય અને કામનારહિત થઈ, સદા પ્રયત્નશીલ રહેવું. (૮-૨૫)
लद्धे कामे ण पत्थेजा, विवेगे एवमाहिए । आयरियाई सिक्वेज्जा, बुद्धाणं अन्तिए सया ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org