SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ કમનાશ શાંતિથી, એકાગ્રતાપૂર્વક સ્થિર થઈને ધ્યાનાદિ કરી શકે અથવા સૂર્યાસ્ત વખતે જ્યાં હોય ત્યાં ઉતારે કરવાના યતિધર્મનું પાલન કરી શકે. જ્યાં સુધી તે એકાંતમાં નિર્ભયતાથી રહી શકતો નથી, ત્યાં સુધી તે વસતીમાં કે સોબતમાં રહેવા પ્રયત્ન કરે છે. અને સાધુ માટે સંગ જેવી જોખમકારક એકે વસ્તુ નથી. બીજી બધી રીતે માણસ ઉચ્ચ ચારિત્ર્ય અને સંયમને પાળ હાય, છતાં જે તે સંગદેષને ત્યાગ ન કરે, તે તે તથાગત બન્યો હોય તો પણ સમાધિથી શ્રુત થઈ જાય. કારણ, સંગ એ કજિયાનું, આસક્તિનું તથા પૂર્વે ભગવેલા ભોગેની સ્કૃતિનું કારણ છે. માટે બુદ્ધિશાળી ભિક્ષુએ સંસારીઓના સંસર્ગથી દૂર રહેવું, તથા જીવિતને ક્ષણભંગુર જેઈ સર્વ પ્રકારનું પ્રમાદ દૂર કરી, મેહમાયાથી રહિત થઈ, સ્વચ્છેદે અનુસરવું છેડી દઈ શીતષ્ણ વગેરે દ્રો સહન કરી લઈ જ્ઞાની પુરુષોએ બતાવેલા ધર્મને જ અનુસરો. [૧૩–૨૨] વધારે શું કહેવું ? કુશળ દૂતકાર જેમ બેટા દાવ છેડી દઈ સારામાં સારો દાવ જ લે છે, તેમ તમે પણ સ્ત્રીસંગાદિ ગ્રામધર્મો તથા ભોગવેલા વિષયની કામના કરવાનું મૂકી દઈ, જગતને તારનારા સંતપુરુષોએ ઉપદેશેલા સર્વોત્તમ ધર્મમાર્ગને જ અનુસરવા માંડે. જેઓ મનને દૂષિત કરનારા વિષયમાં ડૂબેલા નથી, તેઓ જ સંત પુરુષના માર્ગને અનુસરવા શક્તિમાન થાય છે. માટે તમે મનના મહને દૂર કરી, માયા, લોભ, માન, ક્રોધ, પ્રમાદ કે ૧. મૂળ : કલિ, વેતા અને દ્વાપર નામના પાસા. કૃતને પાસો જ શ્રેષ્ઠ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy