________________
૨૧૦ મહાવીરસ્વામીને સંચમધમ
કે, ત્રીજી કેટી પછી એને વૃક્ષોનિક વૃક્ષ કહ્યાં છે, છતાં એ મૂળ, પત્ર વગેરે, વનસ્પતિની જાતિ પ્રમાણે પ્રથમ કેટી પૃથ્વોનિક વૃક્ષ અને બીજી કેટી પૃથ્વીયોનિક વૃક્ષોનિક વૃક્ષને પણ સંભવે. વનમાં માત્ર ક્રમ છે. સંભવ તો યથાદશન ઘટે. ચાર કેટીએ વર્ણવી, એક ગણાતા વૃક્ષ શરીર પરત્વે નિભેદ કેવો કેવો હોય તે સૂચવ્યું છે.
આય, વાય એ કઈ એવી વનસ્પતિ છે, જેનાં શરીરો માત્ર પૃથ્વીમાંથી જ આહાર લે છે. અને પૃથ્વી સંભૂત શરીરમાંથી આહાર મેળવી પછી તેના ઉપર બીજો શરીર બંધાતાં નથી.”
ટિપ્પણ નં ર : જૈન માન્યતા પ્રમાણે ઊર્ધ્વક, અલક અને મધ્યલોક એમ લોકના ત્રણ ભાગ છે. ઊર્વલોકમાં દેવો રહે છે અને અલોકમાં નારકિઓ રહે છે. મધ્યલોકમાં જે અનેક દ્વીપ અને સમુદ્રો છે, તેમાં આપણે જેમાં રહીએ છીએ તે) જંબુદ્વીપમાં, ઘાતકીખંડ દ્વીપમાં અને પુષ્કરદ્વીપમાં અર્ધા ભાગમાં – એમ અઢી દ્વીપમાં જ માણસની વસ્તી છે. તથા જંબુદ્વીપની આસપાસ જે લવણસમુદ્ર છે, તેમાં આવેલા ૫૬ અંતરદ્વીપમાં પણ મનુષ્યની વસ્તી છે. અઢી કપમાં પણ સર્વત્ર વસ્તી નથી, પણ તેમાં ગણવેલાં અમુક પાંત્રીસ ક્ષેત્રોમાં વસ્તી છે.
હવે તે પાંત્રીસ ક્ષેત્રે અને પ૬ અંતરદ્વીપમાંથી જેમાં મોક્ષ માર્ગને જાણનારા અને તેને ઉપદેશ કરનાર તીર્થંકર પેદા થઈ શકે છે, તેવી કમભૂમિએ અમુક પંદર જ છે. બાકીનાં ૨૦ ક્ષેત્રે અને અંતરદ્વીપ અકર્મ ભૂમિ છે. કર્મભૂમિમાં જ મુક્તિને વેગ્ય ચારિત્રને સંભવ છે.
મનુષ્યમાં પણ આર્ય અને સ્વેચ્છ એવા બે વિભાગ છે. તે વિભાગો અમુક દેશમાં, જાતિમાં તથા કુળમાં ઉત્પન્ન થવું, અમુક કર્મ અને શિલ્પથી આજીવિકા ચલાવવી અને અમુક ભાષા બોલવી એ કારણોથી પાડવામાં આવેલા છે.
અંતરદ્વીપમાં રહેનાર મનુષ્ય ઝાડનાં ફળ ખાઈને જીવે છે, નિર્વાહ માટે બીજું કાંઈ કૃષિ આદિ કર્મ કે શિલ્પ કરતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org