________________
નાલંદાને એક પ્રસંગ
૨૭૫, અને એ કારણે તેમને તેવાં નામકર્મ પ્રાપ્ત થયાં હોય. તે જ પ્રમાણે સ્થાવર પ્રાણીઓનું પણ સમજવું.
પછી ભગવાન ગૌતમે પિતાના મંતવ્યનું ઉદાહરણ આપતાં કહ્યું કે, કેટલાક મનુષ્ય એ નિયમ લે કે,
જેમણે મુંડ થઈને ઘરબાર છોડી પ્રવજ્યા લીધી હશે, તેમની અમે મરતા સુધી હિંસા નહિ કરીએ.” તેમણે ગૃહસ્થીઓની હિંસા ન કરવાને નિયમ લીધે નથી. હવે ધારે કે કોઈ શ્રમણ પ્રવજ્યા લીધા બાદ ચાર પાંચ કે વધુ વરસ ચારે બાજુ રખડી થાકીને પાછો ફરી ગૃહસ્થી થાય. હવે ઉપરનો નિયમ લેનાર માણસ તે ગૃહસ્થ થયેલા શ્રમણને મારી નાખે, તે તેને શ્રમણને ના મારવાને નિયમ તૂટયો કહેવાય ? નહિ જ. તે જ પ્રમાણે જેણે માત્ર જંગમ પ્રાણોની હિંસા છોડી દીધી હોય તે આ જન્મમાં સ્થાવર બનેલા પ્રાણોની હિંસા કરે, તે તેથી તેના નિયમને ભંગ ન જ થાય.૧
પછી ઉદકે ભગવાન ગૌતમને બીજો પ્રશ્ન પૂછે : હે આયુષ્માન ગૌતમ! એ કઈ વખત આવે છે, જ્યારે બધાં જ જંગમ પ્રાણુઓ સ્થાવર કાટીમાં જ ઉત્પન્ન થયાં હોય અને તેથી જંગમ પ્રાણીઓની હિંસા ન કરવા ઈછનાર શ્રમણોપાસકને તેવું વ્રત લેવાપણું અથવા કોઈની હિંસા કરવાપણું જ ન રહે?
૧. આ ઉપરાંત મુળમાં પ્રથમ ગૃહસ્થ હેઈ હિંસક, તથા પછી સંન્યાસી થઈ અહિંસક બનેલા અને પાછા ફરી ગૃહસ્થ થઈ હિંસક બનેલા ગૃહસ્થનો દાખલો છે, તથા દીક્ષા લઈ જૈન શ્રમણ બનેલા ભિક્ષુ સાથે જેમ ખાઈ શકાય અને પાછો ફરી તે ગૃહસ્થી થાય ત્યારે ન ખાઈ શકાય એવો દાખલ પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org