________________
૧૯ મહાવીરસ્વામીને સંયમધર્મ, પ્રકારનાં સ્નાન, મન, ગંધ, વિલેપન, માલ્ય, અલંકાર તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે વિષયોમાં ફસ્યા રહે છે. તેઓ સર્વ પ્રકારનાં યાનવાહન, તથા શયનઆસન વગેરે સુખ સામગ્રીઓ ભેગવવા-વધારવામાંથી પરવારતા નથી. તેઓને જીવનભર ખરીદવા–વેચવામાંથી માસ-અરધો માસે કરી તોલવામાંથી, કે રૂપિયા વગેરેના વેપાર-ધંધામાંથી ફુરસદ હોતી નથી. તેઓ જીવનભર ચાંદી, સોનું, ધન, ધાન્ય, મણિ, મેતી, શંખશિલા પરવાળાં વગેરેનો મેહ છોડતા નથી. તેઓ જીવનભર સર્વ પ્રકારનાં બોટાં તોલકાટલાં વાપરવાથી અટકતા નથી. આમ, તેઓ
જીવનભર સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ અને હિંસાથી, સર્વ - પ્રકારના કરવા-કરાવવાથી, રાંધવા-રંધાવવાથી, ખાંડવાકુટાવવાથી, તર્જન-તાડનથી, તથા બીજને વધબંધનાદિ કલેશ આપવાથી વિરત થતા નથી. તેઓ જીવનભર બીજાં પણ જે કાંઈ તેવા પ્રકારનાં દોષયુક્ત, જ્ઞાનનું આવરણ કરનારાં, બંધનનાં કારણરૂપ, બીજાને પરિતાપ આપનારાં તથા અનાર્યો વડે સેવામાં કર્યો છે, તેમનાથી પણ વિરત થતા નથી.
આમ પિતાના સુખ માટે જ જીવન ભોગવતા તેઓ વિનાકારણ ચેખા, દાળ, તલ, મગ વગેરે વનસ્પતિપ્રાણની
૧. મૂળમાં તેમનાં નામ આ પ્રમાણે છે : ગાડાં, રથ, ગાડી, મ્યાને, ડાળી, બે ઘોડાની ગાડી, પાલખી વગેરે.
૨. મૂળમાં: કલમ, ( ખા) મસૂર, તલ, મગ, અડદ, વાલ, કુલથી, ચેખા, કાળા ચણા – આટલાં નામ છે. પિતાનું જીવન વડે કાંઈક ધર્મ સિદ્ધ કરતા હતા, તો તે તે બધું ખાઈને તેમની હિંસા કરેલી સાર્થક થાત – એ અભિપ્રાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org