Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපපපපපපපපපපපපපපපපප
સામયિક કુરણ
පපපපපපපපපපපපපපපපපපප
ઇતિહાસને ઓલવવાનો પ્રયત્ન ન કરે આજ કાલ પિતાની બુદ્ધિ કે પિતાનો પક્ષ લગાડી ઇતિહાસને ઓલવવાનો પ્રયત્ન થાય છે તેમાં ગોત્ર, ગચ્છ, હસ્તપ્રતે, અને અનેક દષ્ટાંતે પ્રસંગોને પિતાની રીતે મૂલવિીને ઈતિહાસની અવજ્ઞા કરવામાં આવે છે તે અનુચિત છે.
પજુ સણ પછી મુંસ. જય જિનેન્દ્ર કલમમાં સાંવત્સરિક ક્ષમાપના લેખ છે તેમાં જણાવ્યું છે કે
“આ પણ કષાયે એટલે ક્રોધ, માન, માયા અને લેભ. એ ચારની અવધિ એક વર્ષની અંદર સમાપ્ત ન થાય તે તે કષાયે અનંતાનુબંધીના કહેવાય. જયાં સુધી અનંતાનુબંધીના કષાયે અસ્તિત્વમાં હોય ત્યાં સુધી જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય નહિ. અને સમ્યકત્વ યાને સમકિત ન આવે તે પછી મને તે પ્રશ્ન જ કયાં રહ્યો ! એટલે ભવિ જીવોને સમકિતની પ્રાપ્તિ થાય તે માટે અનંતાનુબંધીના કષાયેનું નિવારણ કરવા માટે પૂર્વાચાર્યોએ સંવત્સરિ પ્રતિક્રમણની યેજના બનાવી છે. વળી, આ પ્રસંગે બધા એકત્ર થયા હોય અને ક્ષમાભાવની વિચારણા કરતાં કરતાં હયાં હળવાં થયાં હેય તે સામસામે મળે અને વેરઝેર નષ્ટ થઈ જાય એવો વિચાર પણ એની પાછળ રહ્યો હેવાનું અનુમાન થઈ શકે છે. માટે જ સંવત્સરિ પ્રતિક્રમણ સંઘમાં એટલે કે સમુહમાં કરવાનું વિધાન છે. કેઈ કારણસર કેઈથી સંઘમાં ન થઈ શકે એમ હોય તે વ્યકિત અલગ પણ કરી શકે છે.
આ માટે આ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યા ? તેની પાછળ પણ કારણ રહેલ છે. કાળચક્રના વારાફેરા દરમ્યાન અવસર્પિણીના પાંચમા આરાને અંતે જે વિનાશ સર્જાય હોય અને જમીનમાં રસકસ નષ્ટ થયા હોય તે પાછા આવે તે માટે ઉત્સર્પિણી કાળમાં પાંચ જાતના એક એક સપ્તાહના વરસાદ પડે અને વચમાં બે સપ્તાહ ઉઘાડ નીકળે એમ આ ક્રમ એગણપચાસ દિવસ ચાલે. દરેક અરે અષાઢ સુદી પૂર્ણિમાના દિવસે પૂરે થાય. એટલે ત્યારપછી, ઓગણ પચાસ કે પચાસમા દિવસ સંવત્સરિ આવે. બીજી રીતે ગણતાં કાર્તિક સુદી પૂર્ણિમાના પહેલાં સીત્તેર દિવસે સંવત્સરિ આવે.
આ રીતે દિવસની ગણત્રી કરતાં ભાદરવા સુદી પંચમીના સંવત્સરિ પર્વની ઉજવણું કરવામાં આવતી.