Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ ૪ ૪૫-૪ : તા. ૨૧-૭-૯૫ :
ચેાજાયેલ મુનિસમેલન અને એમાં સાત વર્ષના સયમ પર્યાય ધરાવતા શ્રી રામવિજયજી મહારાજને પણ મળેલાં મહવનાં સ્થાન માન આદિની વાતા અમદાવાદમાં જનજીભે ગવાઈ જ રડી હતી, એમાં એમનુ' ચાતુર્માસ વડીલાની સાથે વિદ્યાશાળામાં નકકી થતા આખું અમદાવાદ એમની વાણીમાં રસતરમેળ ખની જાય, એવુ' એક અદાલન જાગ્યું.
: ૧૦૩૧
એ જમાનામાં અમદાવાદમાં ભદ્રકાળી માતાના મ"દિરે દશેરા આસપાસ પ્રતિવષ એકડાને વધ થતા હતા. આ વથી ઘણા ‘દિલ' દ્રવ્ય હતા. પણ આ વધ સામે પ્રચ'ડ આંદોલન ઊભું કરવામાં હજી કાઇ સફળ થયું ન હતું. આ સફળતાના અધિકારી બનવા પામ્યા : પૂ. મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મહારાજ અને પૂ.મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ '' 'ગુરુશિષ્યની આ જોડલીએ હિંસા અટકાવવા કમ્મર કસી. સૌ પ્રથમ પ્રવચન દ્વારા જૈનેને જગાડવા પળેપાળે પ્રવચને ચાજાયા, બીજી તરફ પૂજીરી સ થે વાટાઘાટોના દોર પણ ચાલુ રહ્યો. થાડા દિવસામાં તે એક પ્ર’ચડ ઝંઝાવાતની જેમ આખા અમદાવાદમાં આંદોલનની વાતા ફેલાઈ ચૂકી.
જયાં
પૂજારીએ શરૂમાં તે ગુરૂશિષ્ય સાથે વાત કરવાય તૈયાર ન હતા, પણ પ્રચ'ડ જનમતનું જાગરણ થયું, ત્યાં જ એમને વાટાઘાટો કરવા વિવશ બનવુ પડયુ., એમણે એક વાત એવી મૂકી કે, લાખ રૂપિયા અપાવે, તે એકડાના વધ ખધ કરીએ ! શ્રી રામવિજયજી મહારાજે કહ્યું : અમે કોઇ સાદો કરવા માંગતા નથી. વળી અમારી પાસે તેા પાઇના ય પરિગ્રહ નથી. માટે બીજીવાર આવી વાત ઉચ્ચારતા પણ નહિ. જો તમને અહિંસા પાલનનુ કન્યું ખાવવા જેવુ જણાય, તે જ બલિદાન બંધ કરો. આ માટે જનજાગૃતિનુ કાય અમે કરતા રહીશું.
પૂજારીએ અકકડ રહ્યા. આ પછી જાગૃતિનું કાર્ય ઝડપભેર આગળ વધતા અહિસાના એ દેલનમાં હિન્દુ પ્રજા અને હિન્દુ સન્યાસી ઉપરાંત મુસ્લિમ પણ જોડાયા, એક દિવસ માણેકચેાકમાં પચાસ હજારની પ્રચંડ માનવ મેદની ઉભરાઈ, વગર માઈકે શ્રી રામવિજય મહારાજની કતવ્યની હાકલ કરતી વીરવાણી સૌને સ`ભળાવવા એક નવા જ અભિગમ અપનાવાયા, પૂજ્યશ્રી પેાતાનું ટુંક પ્રવચન પૂરુ કરે, એ પ્રવ ચનના શબ્દો ઝીલી લઈને અન્યવકતા એ પ્રવચનને આગળ સાંભળાવે. આ રીતે આગળ આગળ શ્રવણ’ ની પદ્ધતિથી પચાસ હજારની પૂરી માનવ મેદની અહિંસાની એ આલખેલ સાંભળીને ‘અહિંસા પરમો ધર્મ'ના નાદ જગાવવા એટલી બધી અધીરી બની ગઈ કે, દશેરાની આગલી રાતે એક મેટા માનવ મહેશમણુ ભદ્રકાલીના મંદિરના આંગણે ઉંમટી પડયે .