Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ : ૭ અંક-૨૫ તા. ૨૧--૯૫ :
: ૬૨૩
} : ૨૩૨-છઠ્ઠી ભાવનાનું સ્વરૂપ સમજાવે.
૯. સમકિત એ ધર્મનું ભાજન છે. ભાજન એટલે પાત્ર-વાસણ વિશેષ, જેમ ખાન-પાનાદિના દ્રવ્ય ભાજન વિના નાશ પામે છે કે ઢળાઈ-રોળાઈ જાય છે. તેમ સમકિત રૂ૫ ભાજન વગર ધર્મદ્રલે નાશ પામે છે. તેથી સમકિત રૂપ ભજનમાંથી શ્રુત અને શીલન અર્થાત્ જ્ઞાન અને ચારિત્ર રૂપી અમૃતને રસ કયારે પણ ઢળતે નથીઢળાઈ જ નથી.
પ્ર : ૨૩૩-પ્રાસંગિક શે ઉપદેશ આપે ?
ઉ : નિરંતર આ પ્રમાણે સમકિતની જે છ ભાવનાએ કહી, તે છે કે ભાવનાઓ ઉપર આર-હેવાના બહુમાન પૂર્વક હંમેશા ભાવે જેથી આત્માને પરિપૂર્ણ ધર્મ-મિક્ષ દશા–પેદા થાય.
પ્ર : ૨૩૪-ભાવના ભાવતા જે ઉપમા બતાવી તે સમજાવે.
ઉ. આ રીતે નિરંતર સમિતિની છ યે ભાવનાઓ ભાવવામાં આવે તે પરમાર્થ બોધ રૂપી સમુદ્ર હંમેશા ભર્યો રહે છે અને ઉત્તમ પુણ્ય રૂપી જોરદાર પવનના સૂસવાટા વાય છે ત્યારે આત્મામાં આનંદના તરગો ઉછળે છે. અર્થાત્ તવ સંવેદનરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી આત્મા, આમાના સાચાં-વાસ્તવિક સુખના-આનંદના તરંગમાં મગ્ન બને છે –ાક્ષ સુખને અહી જ અનુભવ કરે છે.
પ્ર : ૨૩૫-ભાવના શા માટે ભાવનાની કહી છે.
ઉ : આ છ યે ભાવનાથી ભાવિત બનેલું સમ્યક્ત્વ અહ૫ કાળમાં નિરૂપમ મેક્ષ સુખને સાવનારૂં બને છે, કેમકે, ભાવના એ ત્રતાદિને દઢ રાખવાનું સુંદતમ સાધન છે એટલું જ નહિ આત્માને ઉત્સાહિત બનાવી, સાયની સિદ્ધિ માટે અનુપમ પ્રેરક બળ પૂરું પાડે છે. જેથી સમકિતની નિર્મલતા થવા સાથે, બોધ પણ માર્ગસ્થ નિર્મલ બને છે અને નિરતિચાર ચારિત્ર પામી, ક્રમશઃ આગળ આગળના ગુણઠાણે ચઢી, આત્માના મુળ સ્વરૂપને પામી, નિરૂપમ એક્ષલક્ષમીને વરે છે. અને અનંત જ્ઞાનાદિ ગુણામાં જ મગ્ન બને છે.
* * (ક્રમશ:)
૦ આત્મસ્વભાવ ધર્મ પામવો અતિદુર્લભ છે. - धम्मो पवत्तिरूवो, लब्भइ कइया वि निरयदुक्खतया ।
जो निअवत्थुसहावो, सो धम्मो दुल्लहो लोए । નરકનાં દુઃખથી પીડા પામીને કયારેક પ્રવૃત્તિ રૂપ ધમ તે પામી શકાય છે પણ જેમાં આ વસ્તુને સ્વભાવ રહેલો છે એવો જે ધર્મ તે આ લેકમાં દુર્લભ છે.