Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૧૬
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તીર્થાધિરાજ શંત્રુજયના મંગલમય તારક સાંનિધ્યમાં વિશાલ સંઘ અને અનંત ઉપકારી પૂ ગુરૂદેના પાવન સાનિધ્યમાં આપની ગણિપદવીને મંગલ પ્રસંગ ઉજવાતે હશે, ચારે બાજુ હર્ષ-ઉલ્લાસ હશે.
આપની સુંદર અનુમોદનીય સંયમયાત્રાનું એક ગૌરવમય સુંદર નજરાણું “ગણિ પદ આપવા આપને સહુ તત્પર હશે. ત્યારે આ પદ મેળવવા બદલ મારા જેવો આપને કઈ ભાષામાં, કેવી રીતે, એભિનંદન આપે, એની મને કશી ખબર નથી. સંસારીએને અમે ‘ગ્રેટસ' કહીએ, પણ આપ સર્વેની પાસે તે આ બધાં શબ્દ ખુબ વામણા લાગે છે. આજે હર્ષના મહાસાગરમાં શબ્દો ડુબી જાય છે. આજે હું આપની ખૂબ ખૂબ અનુમોદના કરૂં છું. '
આપની મોક્ષમાર્ગ તરફની યાત્રા સંયમયાત્રામાં હજુ પણ આવા જ જવલંત પદમુકામે આવતા રહે અને આપની યશગાથા હજુ પણ વધુ જવલંત બની જિનશાસનમાં સુવર્ણાક્ષરે અંકિત થઈ અનેરી શાન સાથે શાસન પ્રભાવના કરે તેવી જ મંગલ પ્રાર્થના. એજ..
લિ. વિરઃ ના વંદન...
વીરવિભુની અંતિમ દેશના પ્રવચનકાર-પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.
જેના પ્રવચન પ્રચારક સંસ્થાન દ્વારા ગુજરાતમાંથી હિન્દીમાં અનુવાદિત ઉપરોક્ત અત્યંત મનનીય પ્રવચન પુસ્તકનું વિમે ચન ગણિપદવીના શુભ દિવસે થવા પામ્યું હતું. આ સંસ્થા દ્વારા હિન્દી માસિકનું પ્રકાશન થઈ રહ્યું છે, હવે પુસ્તક પ્રકાશનને શુભારંભ થતા હિન્દીભાવી જનતાએ આ પ્રવૃત્તિને હત્યાના આવકાર સાથે વધાવી લીધી હતી.
૦ બુધિ આદિનું સાચું ફળ : बुद्धेः फलं तत्त्वविचारणं च, देहस्य सारं व्रतधारणं च ।
अर्थस्य सारं किल पात्रदानं, वाच: फलं प्रीतिकरं नराणाम् ।।
બુદ્ધિનું સાચું વાસ્તવિક ફળ તત્વની વિચારણા કરવી તે છે, દેહ-શરીરને સાર, ત્રને ધારણ કરવા તે છે, અર્થ–પૈસાને સાર ખરેખર પાત્રદાન છે અને વાણીનું ફળ મનુષ્યને પ્રીતિ આપવી અર્થાત્ હિત-મિત પ્રિયભાષણ કરવું તે છે.