Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશ્રી કહેતા હતા કે
. શ્રી ગણદર્શી
-
૦ શ્રી જિનાજ્ઞાની આરાધના, એ અનન્તા ભગવાન શ્રી જિનેશ્રવરદેવોની આજ્ઞાની આરાધના છે.
સંસારના કે ઈપણ સુખને જેને ખપ નથી અને એક મહાને જેને ખપ છે, એવાઓને માટે જ દીક્ષા માગે છે. પછી તે રાજા હોય કે રંક હોય ! - ભગવાનના દર્શન-પૂજન કરે પણ ભગવાન એળખવાનું મન થાય નહિ ભગવાનની આજ્ઞા સમજવાનું પણ મન થાય નહિ તે સમજવું કે, હજી સંસારમ ભટકવાનું ઘણું બાકી છે.
- ભગવાનને સેવક બને તેને પુણ્યથી મલતી પણ સંસારની સારામાં સારી સામગ્રી આત્માનું છું કરનારી જ લાગે.
• મોક્ષની વાત ન કરે તે સાધુ પણ નહિ અને મોક્ષની ઈરછા થાય નહિ તે શ્રાવક પણ નહિ.
૦ શ્રી જિનેટવર દેવની આજ્ઞાને માનવી તેનું નામ શ્રી જિન ભકિત ! તે માન્યતા મુજબ જીવન ઘડવાનો પ્રયત્ન કરે તેનું નામ ભક્તિ ભાવ! - જે જનમાં મહાપણું હોય તે મહાજન કહેવાય. મોટું ટોળું હોય પણ તેનામાં જે મહાપણું હેય નહિ, તે તે મહાજન કહેવાય નહિ. એકમાં પણ જે મહાપણું હેય તે તે મહાજન કહેવાય. માટે જ મહામહે પાધ્યાય શ્રી યશે વિજયજી મહારાજાએ લખ્યું કે “એકેડપિ શાસ્ત્રનીત્યા થા, વતતે સ મહાજન !” શાત્રે એ ફરમાવેલી જતિને અનુસારે વર્તનારે એક પણ હય, તેય તે મહાજન કહેવાય,
૦ ધર્મથી તે વિષય શકિત ઘટે અને વિષય વિરાગ વધે ! ૦ ધર્મથી સંસારને રાગ ઘટે અને મોક્ષનો રાગ વધે.
૦ આજ્ઞા મુજબ ધર્મ કરનારને સંસારથી છોડાવીને મેક્ષને પમાડનારી ક્રિયાએની આડે જે પ્રમાદ આવતું હોય તે પ્રમાદ તે દુશ્મન જેવું લાગે.
૦ ધમથી કષાયે ઘટે, આત્માના ગુણને પ્રગટાવવાનું આકર્ષણ વધે.
૦ જેમ જેમ જરૂરિયાત ઘટે, તેમ તેમ પાપ કરવાની જરૂરિયાત પણ ઘટે, પછી જેની જીવવાને માટે જરૂર નહિ. તેમાં ખર્ચ કરે નહિ–આ નિર્ણય કરો અને યથા શકય અમલ કરે તે ઘણે સંયમ આવી જાય. તમે બધા જો આવા સંયમી બની જાવ તે તમારાં ઘર કેવાં ચાલે,