Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૭૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ઉ જે આત્માનું મન સમકિતમાં જ નિશ્ચલ હોય તેહની તેલે આ જગતમાં કેઈ નથી. પછી ચાહે કે દુનિયાનો મોટામાં મેટે શહેનશાહ પણ ન હોય, યાવત્ દેવેન્દ્ર પણ ન હોય, પણ તેહની સમાન નથી જ.
પ્રિ : ૨૮૬-કર્તાના ગુરૂનું નામ જણાવી તે આપવાનું કારણ જણ .
ઉ આ સજઝાયના કર્તા મહામહોપાધ્યાય, લઘુ “હરિભદ્ર તરીકે વિ વાત પૂ. શ્રી યશોવિજયજી ગણિવર્ય છે અને તેમના ગુરુ પૂ. શ્રી નવિજયજી મહારાજા છે.
શ્રી જૈન શાસનમાં શ્રી તીર્થંકર પરમાત્માઓને છોડીને કઈ પણ સુવિદિત ગુરૂ વગરના હોતા નથી. ભવભરૂ, સંવિગ્ન અને પ્રામાણિક એવા તેઓ પોતાના ગુરૂન ગૌરવમાં જ પિતાનું ગૌરવ માને છે. પોતાના નામથી ગુરૂને ઓળખાવવા કરતાં ગુરૂના નામથી જ પોતાની ઓળખ આપવામાં આનંદ અનુભવે છે. કારણ ભવનિસ્તાક એવા ગુરૂ મહારાજે મારે હાથ ન ઝા હેત તે આ સંસાર સાગરના કીચડમાં હુ કયાંને કયાં ખુંપી ગયા હતા.
ગમે તેવા મહાનમાં મહાન, સમર્ષમાં પણ સમર્થ, પ્રતિભાસંપન્ન ગુણવંતે એવા પણ શિષ્ય ગુરૂની આગળ તે નાના બાળકની જેમ જ રહે છે, “મારામાં કશું જ નથી કે જે કાંઈ શકિત છે તે તારક પૂ. ગુરૂદેવને જ આભારી માની.” ગુરૂના નામનું રાશન કરવામાં પોતાની ઉન્નતિ માને છે. કેમકે, દીક્ષા લેનાર આત્મા પોતાના મન-વાન અને કાયાના પેગો તે પૂ ગુરૂદેવને સમપિત કરે છે પણ પિતાનું સંસારી અવસ્થા નું નામ પણ બદલી નાખે છે અને દીક્ષિત અવસ્થાના નુતન નામે ઓળખાય છે. સાદ પણામાં પણ સંસારી નામની ઓળખ આપવી–તે રીતનો જ એળખાવે તે ય નિષેધ ' કરો , તે ખરેખર સાધુ પણાનું સૌભાગ્ય નથી પણ કલંક છે. રીતના કરનારા શાસનની સેવા-ભકિતના નામે પિતાની જ નામના વધારે છે તેમાં કે ઈપણ પ્રમાણિક વિચારક અસંમત હેય જ નહિ તે નિર્વિવાદ વાત છે, * ગુરૂનાં નામે ઓળખાવવાના આનંદથી તેઓ વંછિત રહે છે ગુર્વાદિ વડેલેની આજ્ઞામાં જ જિનાજ્ઞાની આરાધના છે એટલું જ નહિ પ્રેક્ષિત મતિક૯પનાના વિચાર પ્રવાહને ફેલાવવાનું રુવપ્ન પણ તેમને આવતું નથી. શ્રી જિનાજ્ઞાને અનુસરતી ગુર્વાજ્ઞામાં જ આત્માનું કલ્યાણ છે તે વાત સુવિનિતવિયજનોના હૈયામાં કેરાયેલી, હોય છે.
- ગુરૂ પારતન્ય એજ કલ્યાણને બીજ મંત્ર છે, કેમકે, સુવિહિત શિરોમણિ, સમર્થ શાસ્ત્રવેત્તા, સ્વ-પર દશનના જાણ પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી પડશક ગ્રન્થમાં ગુરૂ પરતંત્ર્યને ઘણે જ મહિમા ગાયે છે અને પરમગુરૂ શ્રી તીર્થકર પરમાત્માની પ્રાપ્તિનું કારણ પણ ગુરૂ પરતંગ્ય જ કહ્યું છે.