Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
»- - --- ----- -- - - - - - સમિતિના સડસઠ બેલની ].
–પૂ. મુનિરાજ શ્રી સઝાય ઉપર પ્રશ્નોત્તરી – | પ્રશાંતદર્શન વિજયજી મ. ના ના
કાક@ી જ જે કઈ શકે
[ ગતાંકથી ચાલુ ] પ્ર : ૨૭૫-શ્રી સિધભગવંતના પર્યાયવાચી શબ્દો જણાવે.
'सिद्धत्ति अ बुद्धत्ति य पारगयत्ति य परंपरगयत्ति य । उम्मुक्कमम्मकवया अजरा अमरा असंगा य ॥९८७॥ निच्छिन्नसव्वदुक्खा जाइजरामरणबंधणविमुक्का ।।
વાવાઝું સો જુઠ્ઠવયંત સયા વI૪ પ૬૮૮ાા’ કૃતકૃત્ય હેવાથી સિદ્ધ છે, કેવલજ્ઞાન અને કેવલદર્શનથી સંપૂર્ણ જવાથી બુદ્ધ છે, ભવ સમુદ્રના પારને પામવાથી પારગત છે, પુણ્યબી જ રૂપી સમ્યક્ત્વ, જ્ઞાન–ચારિત્રના ક્રમથી તેના સ્વીકારના ઉપાયને સંપૂર્ણ પામી-આરાધી-હવે કશું બાકી ન હોવાથી પરંપરાગત છે, સઘળાય કર્મોથી રહિત હેવાથી ઉમુકત કર્મ કવચવાળા છે, વયના અભાવથી જર છે, આયુષ્યના અભાવથી અમર છે, સકલ કલેશોના અભાવથી અસંગ છે, સઘળાય દુખેથી રહિત હોવાથી નિસ્તી સર્વદુ:ખવાળા છે, જાતિ-જન્મ, જરા એટલે વયને હાનિ, પ્રાણેના ત્યાગ રૂપ મરણ, સંસારના બંધનના હેતુભૂત આઠે પ્રકારના કમના બંધનથી મુકાયેલા એવા શ્રી સિદ્ધ ભગવંતે એકપણ વ્યાબાધાથી રહિત એટલે કે અવ્યાબાધ એવા સુખને હંમેશા અનુભવતા રહેલા છે.
પ્ર : ૨૭૬–આત્માને મેક્ષ છે તેમ કહેવાથી બૌદ્ધમતની માન્યતાનું નિરાકરણ કઈ રીતના થયું તે સમજાવે.
ઉ આત્માને મોક્ષ છે એટલે કે સત્ એવા જીવને રાગ-દ્વેષ–મહ-અજ્ઞાન, જન્મ-જરા આદિ દુ:ખના ક્ષય-નાશ, રૂપ જીવની અવસ્થા વિશેષ સ્વરૂપ મોક્ષ છે. આમ કહેવાથી બધે જે કહે છે કે –“દિવાના બૂઝાવા-ઓલવાવા-રૂપ જીવના અભાવ સ્વરૂપ નિર્વાણ એટલે કે મેક્ષ છે તે વાતનું નિરાકરણ થાય છે.
* બૌ દિવાની જ્યોત બુઝાઈ જાય તેની જેમ જીવના સર્વથા નાશને જ મોક્ષ કહે છે. તેના સમર્થનમાં એ દલીલ આપે છે કે, જેમ દિ બુઝાઈ ગયા પછી પૃથ્વીમાં જ નથી, આકાશમાં જ નથી, કોઈ દિશાઓમાં કે કઈ વિદિશાઓમાં પણ તે નથી. પરંતુ તેલને ક્ષય થવાથી કેવલ શાંતિને પામે છે. તેમ મોક્ષ પામેલ જીવ પણ પૃથ્વીમાં જતું નથી કે આકાશમાં જ નથી કે કઈ દિશાઓમાં કે કોઈ વિદિશાઓમાં