Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපපපපපපපපපපපපපපපපප શાસ્ત્રોકત એજ મુકિતની દૂતી
– શ્રી ગુણપરાગ පපපපපපපපපපපපපපපපපපපපප
(ગતાંકથી ચાલુ) તે જ કારણથી ધર્માર્થી આત્માએ હમેશા શાસ્ત્રને વિષે જ બહુ માન રાખવું જોઈએ કેમકે મેહ રૂપી અંધકારથી વ્યાપ્ત એવા આ સંસારને વિષે શાસ્ત્રારૂપી પ્રકાશ જ સન્માર્ગમાં પ્રવર્તન કરાવનાર છે.
"तस्मात्त्सदैव धमार्थी, शास्त्रयत्नः प्रशस्यते ।
लोके मोहान्धकारेऽस्मिन् शास्त्रलोकः प्रवर्तकः ॥" શાસ્ત્ર ઉપર ભકિત પેદા કરવા શાસ્ત્રના ગુણગાન ગાતાં કહે છે કે, પાપ રૂપી વ્યાધિને નાશ કરનાર શાસ્ત્ર છે, પુણ્યકાર્યોનું કારણ શાસ્ત્ર છે, સૂમ-બાદર આદિ આર્થોને જોનાર ચક્ષુ પણ શાસ્ત્ર છે અને સઘળાં ય કાર્યો ને સાધનાર પણ શાસ્ત્ર જ છે.
"पापामयौषधं शास्त्रं, शास्त्रं पुण्य निबन्धनम् ।
चक्षुः सर्वत्रमं शास्त्रं, शास्त्र सर्वार्थसाधनम् ॥ આવા શાસ્ત્રને વિષે જેઓની જરાપણી ભકિત નથી; તેઓની બધી ધર્મક્રિયા, આંધળાની જવાની ક્રિયા સમાન અને ઈચ્છિત ફલને નહિ સાધી આપનારી બને છે.
"न यस्य भक्तिरेत स्मिग्तस्य धर्मक्रियापि हि ।
સાપેક્ષત્રિયાતુચા, કાર્બોષારસા ” એટલું જ નહિ, શાસ્ત્રને વિષે જેને અનાદર છે તેના સઘળા ય ગુણો ઉન્મત્ત પુરૂષના શૌર્યાદિગુણોની જેવા હેવાથી સજજન પુરૂષમાં કયારેય કલાનીયા બનતા નથી.
__“यस्य त्वनादरः शास्त्रे, तस्य श्रद्धादयो गुणाः ।
૩મત્તશુળતુલ્યવાન્ન પ્રસાસ્વયં સતામ્ ” મલીન વસ્ત્રની શુદ્ધિ જેમ નિર્મલ જલથી થાય છે તેમ મલીન અંતઃકરણ રૂપી રનની શુદ્ધિ પણ શાસ્ત્રથી જ થાય છે તેમ પંડિત પુરૂષ કહે છે.
"मलीनस्य यथात्यन्तं, जलं वस्त्रस्य शोधनम् । અત્ત:વરરત્નઈં, તથા શાત્ર વિતુર્વધા: ”