Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
--પ્રજ્ઞગ
શાશ્વતી શ્રી જિનપ્રતિમાઓને દાઢી મૂછ પણ હોય છે. “વિ રત્નના ! “મારાથa Eા વિનિર્મિતા : " તે અંગે શ્રી સમવાયાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે – સર્વાસિકંમળ જેમને દાઢી, મૂછ, રેમ અને નખ રહેલા છે એવી શ્રી જિન પ્રતિમાઓ. * તથા શ્રી ઉવવાઈ સૂત્રમાં પણ કહ્યું છે કે- “અવકૂિકમિત્તર ” જેમને શોભતી દાઢી રહેલી છે એવી શ્રી જિન પ્રતિમાઓ.
ચક્રવતી વતાયવર્તની તમિસ્ત્રી અને ખંડપ્રપાતા ગુફામાં પ્રકાશને માટે જે મંડળે કાકીણીરત્નથી આલેખે છે તે મંડલો જ્યાં સુધી ચક્રવતીનું રાજ હોય ત્યાં સુધી ગુફાને માર્ગે જવા આવવા માટે કાયમ રહે છે. તે પ્રમાણે શ્રી પ્રવાન સારોદ્ધાર” ને અભિપ્રાય છે.
स्याद्यावश्चक्रिणो राज्यं तावत्तिष्ठन्ति सन्ततम् । मंडलानि च वद्ये च गुहामागे गतागते ।"
જયારે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્રમાંના શ્રી અજિતનાથ સ્વામિ ભગવાનના ચરિત્રમાં એમ જણાવ્યું છે કે જ્યાં સુધી ચકવતી જીવે છે ત્યાં સુધી ગુફાના દ્વાર ઉઘાડાં રહે છે અને ગુફાની અંદર આલેખેલાં મંડળો પણ કાયમ રહે છે.
"उदघाटितं गुहा द्वारं गुहान्तर्मण्डलानि च तावत्तान्यपि तिष्ठन्ति यावज्जीवति चक्रभृत् ॥"
ઉત્તર કુરુના પંચેન્દ્રિય તિર્યએ પણ છ છઠ્ઠને આંતરે આહાર લે છે. તે અંગે કહ્યું છે કે -
"पंचिन्दियतिरिनराणं सहाविय अठ्ठ अठ्ठमाओ ।"
પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય અનુક્રમે છઠ્ઠ છઠ્ઠને આંતરે અને અમે અઠ્ઠમને આંતરે આહાર લે છે.