________________
ધર્મનાં ચિહ્નો
[ જ્યાં ધર્મના અક્ષરો ન મળે તેવા ક્ષેત્રનું નામ વ્યવહારથી ) અનાર્યક્ષેત્ર કહેવામાં આવે છે. ધર્મમાં પ્રવર્તમાન થવાની ઈચ્છા અને તે છે II ઈચ્છાને સફળ થવાનાં સાધને આર્યક્ષેત્રમાં હોય છે.
આર્યોનું મંતવ્ય-આહાર, નિદ્રા, ભય, અને મિથુન એ ચારની પ્રવૃત્તિમાં મનુષ્ય જીવનની સફળતા નથી, પણ ધર્મની પ્રવૃત્તિ કરવામાં છે.
ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સા અને નિર્મળ બેધ તે ધર્મવૃક્ષનાં 1 ડાળાં છે. આ હેાય તે ધર્મ છે તેમ સમજી શકાય છે. આથી આ ચાર વસ્તુ ધર્મનાં ચિહ્નો છે. 1.
આર્યક્ષેત્રમાં ઊંચામાં ઊંચી ચીજ ધર્મ आदार्य दाक्षिण्य पापजुगुप्साथ निर्मलो बोधः । लिङ्घानि धर्म सिध्धेः प्र येण जनप्रियत्वं च ॥ (षोडश).
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીમદ્દ હરિભદ્રસૂરિજી મહારાજા ભવ્યજીવોના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં પ્રથમ જણાવી ગયા કે ધર્મની વાસના આર્યક્ષેત્રમાં રહેલી છે. જ્યાં સ્વને પણ ધર્મના અક્ષરો ન મળે તેવા ક્ષેત્રનું નામ વ્યવહારથી અનાર્યક્ષેત્ર કહેવામાં આવે છે. ધર્મમાં પ્રવર્તમાન થવાની ઈચ્છા અને તે ઈચ્છાને સફળ કરવાનાં અનેકવિધ સાધનો આર્યક્ષેત્રમાં સ્વાભાવિક હોય છે; આર્યક્ષેત્રને મનુષ્ય ધર્મ કરવામાં પોતાની સફળતા માને છે. આર્યોમાં એ સંસ્કાર પડેલ જ હોય છે કે આ મનુષ્ય જીવનમાં કંઈક ધર્મ કરીશું તે જ જિંદગી સફળ થશે.
આદનિદ્રામથથન ર એ લોકમાં સર્વ પ્રકારના જીવની સામાન્ય સ્થિતિ સંજ્ઞાને અનુસરતા સ્વરૂપમાં વર્ણવેલી છે. આર્યોનું