________________
४४८
આનંદ પ્રવચન દર્શન તેના ગુણેમાં રહેલું છે. બીજાને ભેગે પોતે જીવે. આ વિચારે તે કીડી થયે, કારણ કે ત્યારે બીજાના જીવનના ભેગે પણ હું જીવું તેમ હતા. દુનિયામાં જ્યાં સુધી વિવેક નથી હોતે ત્યાં સુધી જીવનના ભેગે છવું. ગુણે કેમ આવે છે તે ઉપર ધ્યાન દેવાનું. જીવનના ભેગે જીવવાની જગ્યાએ જીવું ને જીવાડુ.
આથી આગળ વધે. મારા જીવનના ભેગે બીજાને જીવાડું. બીજાના જીવનને ભેગે હું જીવું તે અધમ. પણ મારા જીવનના ભેગે હું બીજાને જીવાડું તે ઉત્તમ. અને ૧. હું જીવું ને બીજાને જીવાડું આ ગુણ મધ્યમને હેય તે
જ મનુષ્યપણું આવી શકે. ૨. મારા જીવનના ભેગે જીવાડું તે દેવતાને લાયક. ૩. બીજાના ભેગે જવું તે નરક અને તિર્યંચને લાયક અને ૪. હું જીવું ને બીજાને જીવાડું તે મનુષ્યપણને લાયક.
સ્વભાવે પાતળા કષાયવાળ, દાનરૂચિવાળો ને મધ્યમગુણવાળો હોય તે મનુષ્યપણું મેળવી શકે. આ માટીની મિલકત લઈને પેઢી માંડી છે. પણ માટીની દુકાનને વિચાર કયારે ? આપણે ઈન્દ્રિયના વિષયને વિચાર કરીએ છીએ પણ આપણી મિલકતને વિચાર કરતા નથી. તે વિચાર કેણ કરાવે છે ? તે તે એક ધર્મ જ કરાવે. છે. પરંતુ ઘર્મ દરેક આસ્તિકોએ માન્યા છતાં તેના ભેદોનો પાર નથી. ને તેથી કેવી રીતે ઓળખવે ? બાવાજી નાવા ગયા. પાસે હતી લેટી. ત્યારે ત્યાં આગળ રેતમાં તે દાટી. નાહીને આવે ત્યારે દાટેલ લેટીની જગ્યાની ખબર પડે તેથી ત્યાં રેતીની ઢગલી કરી. તેવી રીતે જેટલા નાહવા આવ્યા, તે દરેકે ત્યાં ઢગલી કરી. હવે બાવાજી નાહીને આવ્યા, ત્યારે મારી ઢગલી કઈ તે સમજવી મુશ્કેલ થઈ. ધર્મની ઢગલીઓ બધાએ કરી પણ તત્ત્વવાળી ઢગલી કઈ? આ ધમની પરીક્ષા કષ, છેદ અને તાપથી થાય છે. આથી કષ, છેદ અને તાપથી ધર્મની પરીક્ષા કરીને ઘર્ષ કરવો જોઈએ.