________________
3
જીવજીવન અને જડજીવન ન
[ જ્યાં છદ્મસ્થપણું છે ત્યાં વિચાર છે. આ વિચાર જીવજીવન અને જડજીવન એમ બે પ્રકાર છે. જ્યાં સુધી વિરતિ ન આવે ત્યાં સુધી જડ જીવન અને વિરતિ આવે એટલે જીવજીવન, જીવજીવન છઠ્ઠા ગુણઠાણ પછીથી જ થાય છે. અને તે જ પરમ ઉપકારક છે ].
જીવન બે પ્રકારનાં : જીવજીવન અને જડજીવન શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન શ્રી યશોવિજયજી. મહારાજ ભવ્ય જીવોને ઉપકાર માટે ૨૩મા “લોકસંજ્ઞા અષ્ટકમાં જણાવે છે કે સંસારમાં કેઈપણ જીવ છદ્મસ્થ છે. સંપૂર્ણ જ્ઞાન પામ્ય નથી ત્યાં સુધી સંજ્ઞા વગરને હેય નહીં. જે જે જીવે કેવળી હોય. નહીં તે બધા સંજ્ઞાવાળા હોય. અને તેથી જ જ્ઞાનમાં અપૂર્ણ છે. કિયાનાં કારણેની નિશ્ચિતતા નથી. વિચારો બે પ્રકારના છે. જીવા વિચાર અને જડ વિચાર. આ બે પ્રકારના જ પદાર્થો છે. હંમેશાં વિચાર પદાર્થોના થાય. જે પદાર્થ રૂપે હોય તેના જ વિચાર થાય. કેઈએ સ્વપ્નામાં પણ આકાશના ફૂલને વિચાર કર્યો નથી. આકાશનું ફૂલ મને મળે એ વિચાર સ્વપ્નમાં પણ આ ખરે? તે જ વિચાર સ્વપ્નમાં આવે છે, જે દુનિયામાં હયાત હેય. જગતમાં પદાર્થ જ બે જીવ અને જડ, બે જાતના પદાર્થ હોવાથી ત્રીજાને વિચાર ન હોય. આ વાત શાસ્ત્રકારોને પણ માન્ય છે.
જીવ અને જડ જણાવીએ એમાં સાંભળનારનું શું વળ્યું ? અમારે જ્ઞાન એ જ લેવાનું કે જેનાથી કોઈ પણ ફાયદો થાય. જેઓ જ્ઞાનને સાધ્ય તરીકે ગણતા હોય, ફળ તરીકે ગણાતા હોય તેઓને