________________
અનનુ મૂળ
૪૬૫.
આત્માની ઓળખાણ કયારે આવે?
નાનુ` બચ્ચું' સાચા હીરાને પામે કયાં ? તેમ આ જીવ આત્માનું સ્વરૂપ સમજે કયાં ? સ્થિતિ સુખ સમજે કયાં ? ઝવેરીના હિસાબ એ પણ જકડી નાંખે ત્યારે આવડે. એ હિસાબે સહેજે નથી આવડતા. આંતરડાં ઊંચાં લાવા, ત્યારે આત્માની ઓળખાણ આવે. સાચા અવેરાતના મોટા વેપારી કાચના ટુકડાના પ્રયત્નને કઈ સ્થિતિએ દેખે ? કાચથી ભરેલી આખી પેટી છે, તા પણ સાચા હીરાના જાણકારને તેની કિમત કેટલી ? જેને આત્માનુ' સુખ ખ્યાલમાં આવ્યુ તેને મન ચક્રવતી તા કાચના કટકાથી પેટી ભરનારા બાળક જ જેવા છે. અધિક કટકા એકઠા કરે તે તેને વધારે વહાલા લાગે, તેમ અહી' પણ જે આત્મા તરફ દૃષ્ટિ કરનારા, આત્માના સ્વરૂપ, સાધનને સમજનારા, સ્થિતિને લક્ષમાં લઈને તે પ્રમાણે વનારા છે, તેમને દેવેન્દ્ર કે ચક્રવર્તી સરખા પણુ વહાલા લાગે. સમકિતી જીવને એ આખી ચારે ગતિના સંસાર, ને ઇંદ્રની કે સામાનિકની સ્થિતિ હોય તે પણુ અંધુ કંટાળાભર્યું લાગે. ઝવેરાતની પરીક્ષા થઈ ગઈ કે કાચના કટકાની પેટી કરૂણા ઉપજાવે. અરર ! આની દશા શી ! કાચના કટકા ભેળા કરનારા આ બાળક માત્ર માને છે! પણ ઝવેરીના જિગરમાં ઝેર રેડાય છે. શાથી ? આ બિચારાની આ દશા ?
તેવી રીતે સમકિતવાળા જીવ ચારે ગતિના કાઈ જીવને દેખે ત્યારે તેનામાં તે દયાના ઝરા પ્રગટે, મિથ્યાત્વને અંગે ઝેર વરસે, તેને થાય : આની દશા શી થવાની ?”
માન્યતાના પલટાને અંગે આ બધું છે. નાના ખાળકે હીરાની માન્યતા કાચના કટકામાં કરી. તે મેળવવા શું માંગે ? કાચના કટકા. કાચના કટકા મળતા હોય તેવાં સ્થાના તે ખાળે. નાના ખાળક ઝવેરીબજારમાં ન પેસે. કાચવાળાની દુકાન હોય ત્યાં જ દોડે છે. તેવી રીતે આ જીવ જ્યાં પૌદ્ગલિક સ્થિતિ હોય ત્યાં જ દોડવા તૈયાર. જિનેશ્વરના શાસનમાં ઝવેરી બજારમાં જવા ને જોવા પણ
૩૦