________________
જેન કોણ? જેને અંગે વિરાધના કર્યા પછી જે કઈપણ પાપસ્થાનકને આદર્યા પછી અગર તેને આદરતી વખતે આ કરવા જેવું તો નથી, પરંતુ દિલગીરી પૂર્વક ન છૂટકે કરવું પડે છે, એવો હૃદયમાં વિચાર રાખે તે તમેને બંધ ઓછો જ થવાને. આ જ કારણથી સમ્યગદષ્ટિને જે કામ માટે બંધ ઓછો છે, ત્યારે મિથ્યાષ્ટિને તે જ કામ માટે બંધ વધારે છે.
હવે કોઈ એવો પ્રશ્ન કરશે કે ત્યારે પુપરૂપી વનસ્પતિકાય વડે દેવતાઓની પૂજા કરીએ તે એ પૂજાથી દોષ લાગે ખરે કે નહિ ? આ પ્રશ્નને વિચારીએ.
બંધ-પરિણામના આધારે. ઉપલા પ્રશ્નનો જવાબ બહુ જ કાળજીપૂર્વક વિચારવાનો છે. પહેલી તે તમને એવી જ શંકા થશે કે પ્રક્ષાલ કરતાં પૂજામાં પાણી વપરાય છે તેમાં અસંખ્ય જીવે છે. બીજી વાત એ છે કે ભગવાન શ્રી તીર્થંકરદેવોના જન્મ વખતે ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા હતા. દેવકુરુ અને ઉત્તરકુરુના પદ્મસરોવરમાંથી ફૂલો લાવીને તેમને ચઢાવવામાં આવ્યાં હતાં. તો આ સઘળા કાર્યથી વનસ્પતિકાયની વિરાધના થાય છે ખરી કે નહિ ?
ઉપરના ઉદાહરણમાં શાસ્ત્રકારો દોષ હોવાની સાફ ના પાડે છે કારણ કે એ કાર્યોમાં પરિણામ ભક્તિના હોવાથી ત્યાં દોષ માનવામાં આવ્યો નથી. જે અહીં પરિણામ ભક્તિના છે, તો પછી ભગવાનને પ્રક્ષાલ કરીએ છીએ તેમાં પણ પરિણામ ભક્તિના જ છે. તે જે પ્રથમ કાર્યમાં દેષ નથી તે બીજા કાર્યમાં દોષ નથી જ એ સ્વાભાવિક છે.
હવે કોઈ એવી શંકા કરશે કે તો તે ભગવાનનો ધર્મ “મેરી તે લાપસી આર પરાઈક કુશ્કી” એ ગણી શકાય ખરે કે નહીં? નહીં.
ભગવાનની પૂજા ત્યાગ મેળવવા માટે છે. ભગવાનને માટે શંકાકારે એવું કહી શકે કે “ભગવાન છકાય જીવો માનતા હતા અને તેની વિરાધના કરવામાં પાપ માનતા હતા,