________________
ઉપાધિ કેમ છૂટે ?
૪૩૫
સેાનાની કિંમત જાણનારા તે લાઢાને તિએ તાળવા ન જાય. લેાઢાને તેા શેરથી તેાળશે. તેમ આત્માનું સ્વરૂપ જાણવામાં આવશે ત્યારે ઉપાધિને પર સ્વરૂપે, અને આત્માના ગુણાને સ્વસ્વરૂપે જાણશે. આત્માનું ભાન થાય તેા ઉપાધિ રહિત થઈ જવાશે. ઉપાધિ સ્ત્રીની જાત છે, રીસામણી છે. તે દેખે કે મારી ઉપર આદર છે' ત્યાં સુધી તે સાથે રહે, અનાદર દેખે તે પરણેલી પિયરે ભાગી જાય. ઉપાધિ ડૂબાડનારી છે, ઉપાધિના અનાદર થાય તા તે આપેાઆપ ખસે.
આત્માનું જ્ઞાન થાય ત્યારે ઉપાધિ ખસે, તપસ્યા એ જ કનાશ કરવાને સમર્થ છે..
આત્માનુ' સ્વરૂપ સમજ્યા વિના તા આ જગત્ની કરેલી મહેનત મીટ્ટીમાં મળવાની. આત્માના ભાનને માટે જે મહેનત કરે તે સ કાયમને માટે રહેવાની. કેવળજ્ઞાન અને મેાક્ષ મેળવ્યુ. એ હમેશાં રહેવાનુ. જિંદગીમાં એક એવી વસ્તુ મેળવીએ કે તે કેાઈ દિવસ ન જાય, તેને માટે મહેનત કરવી. આ જગતની અંદર જિંદગી સુધી મહેનત કરે છે છતાં સરવાળા શૂન્ય. ઉપાધિને તે જ છેડી શકે કે જે આત્મામાં લીન રહે. માટે આત્મામાં લીન રહી ઉપાધિને છેડવી એ જ શ્રેયસ્કર છે.
આત્મીયદષ્ટિએ દેવતાના ભવ પણ આત્મોયશકિતના આવિર્ભાવને વધારવા માટે અધાપા સમાન છે.