Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 474
________________ પાતળા કષાયથી મનુષ્યપણું ૪૪૫ ત્યારે બાદશાહે કહ્યું કે “બેવકુફ ! ખાને કા ના મીલે તે ખાજે કા ભૂકા ખાય. ભૂખ્યા કયું રહે ?” બાદશાહના ભાણામાં ખાજા આખા મૂકે પણ તે ભાગ્યા વિના. ન રહે, કારણ કે તે ભૂકે ન ખાય. બાદશાહી કુળમાં જન્મે, ઉછર્યો, તેને લીધે ખાજાને ભૂકે નકામે લાગે છે, ત્યારે એમ કહે છે. જે તે જગત આખાને નજરમાં લે ત્યારે માલુમ પડે કે મકાઈની ઘેંસ કેટલી મુશ્કેલ છે ? તેવી રીતે આપણે પણ મનુષ્યપણું પામીને સમજણા થયા છીએ. આ મનુષ્યપણું બાદશાહી ખાજાના ભૂકકા સમાન છે. કેઈ દિવસ એ. વિચાર કર્યો કે આ મનુષ્યપણું કેમ મળ્યું ? આપણે જ મનુષ્ય થયા તેનું કોઈ કારણ? આ વિચારને આખી જિંદગીમાં અવકાશ મળતું નથી, અનાદિ ક્રોધાદિ વિકારોને અવકાશ છે જ, મનુષ્ય કેમ બને તે વિચારને જ અવકાશ નથી. આપણે ઈન્દ્રિયોના વિષયે. તરફ ને મનના વિકારે તરફ એટલા બધા ખેંચાયેલા છીએ કે મનુષ્ય કેમ બન્યા તે જાણવાને સમજવાનો અવકાશ જ ન મળે. આ મનુષ્ય પણ રૂપી પેઢીમાં થાપણ મૂકી તે કેટલી ઘટી, કેટલી વધી, તેને કાંઈ વિચાર કર્યો? કઈ પુરાંત ઉપર આ પેઢી ખુલ્લી મૂકાઈ હતી. તેનો વિચાર કર્યો ? જે અમે નથી ભણ્યા એ નિશાળને જ બોયકોટ છે એમ તે નથીને ? સાચી નિશાળ એ કે જેનું નામ ધમ છે. ધર્મ એક જ માટીની. પેઢીની મિલકત બતાવનાર છે. જેને અફીણની ટેવ પડી છે તેને પાંચ પકવાન આપે પણ કસુંબે ન આપે તો તે ફીક્કા. લાગો પણ કસુંબો આપીને મીઠાની ઘેંસ પાઈ દો તે પણ તે તેને મીઠી લાગે છે. વ્યસન લાગેલું હોય તે તે મળ્યા પછી બીજી ગમે તેવી ખરાબ ચીજ મળે તે પણ તે સારી લાગે. જેને ક્રોધ પર કાબૂ નહિ તે કયાં સારો રહેવાને ? સાપને એક છોકરો અડે તેમાં તેને નુકસાન કેટલું થયું ? પણ તેણે સજા કેટલી કરી તે વિચારે ! મોતની સજા કરી. શાને લીધે ? ક્રોધ પર કાબૂ નહિ તેને લીધે. .

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510