________________
અંતરાત્મા
૪૨૩
નથી. આબરૂની કિંમત ન હોવાથી તેને આબરૂ રહ્યાને હર્ષ નથી કે ગયાને શોક નથી–અફસેસ નથી.
જેમ આબરૂ એટલે વ્યવહારના આધારરૂપ ચીજ છતાં, મૂળરૂપ છતાં બાળકને તેનું ભાન નથી તેમ બાહ્યાત્માને, મિથ્યાદષ્ટિને સર્વસના વચનનું જ્ઞાન નથી, માટે તે વચનાનુસાર વર્તનથી લાભ અને વિરુદ્ધ વર્તનથી હાનિનું તેને ભાન નથી. ઈન્દ્રિયરામી જીવ મિથ્યાદષ્ટિ બિચારે શ્રી સર્વ દેવના વચનને જાણતો જ નથી પછી તેના લાભને પિછાને ક્યાંથી? દુનિયાદારીને વ્યવહારને સારી રીતે સમજનારો જ જાણે અને માને કે આબરૂ વધે તેવું જ કામ કરવું, પણ આબરૂ ઘટે તેવું તે પ્રાણાન્ત પણ ન કરવું, કેમ કે આબરૂ ગયા પછી ઊભા. રહેવાનું સ્થાન જ ક્યાં છે ?
બાળકની બુદ્ધિ માત્ર ખાવાપીવામાં એટલે એ તે ઊલટું એમ કહી દે કે આબરૂના કેટલા કેળિયા થાય, કેટલા ઘુંટડા થાય ? તે જ રીતે પુદ્દગલાનંદીની બુદ્ધિ વિષયકષાયમાં જ પ્રવર્તેલી હોય છે એટલે વિષયનું શોષણ થાય તેવી પ્રવૃત્તિ તે ન કરે પણ પિષણ થાય. તેવી પ્રવૃત્તિ તે કરે. આ પ્રવૃત્તિ સમજુને શોભે?ન શેભે. પણ “નાક તે કટ્ટા પણ ઘી તે ચટ્ટા !” એમ કેણ માને ? અસમજુ. એ રીતે. નકટા થઈને ઘી ચાટવામાં આનન્દ માનનારા અસમજુને કેવા કહેવા ? જે આત્મસ્વરૂપ સમજ્યા હોય તે બીજું કશું ન તપાસે, તે તે માત્ર એટલું જ તપાસે કે શ્રી સર્વાના વચનાનુસાર વર્તન થાય છે કે નહીં. આવું તપાસે તે અંતરાત્મા. બહિરાત્મા માત્ર પુદ્ગલના આનંદને તપાસે.
શરીરના નિષ્ણાતને શરીર સૈપાય તો. આત્માના નિષ્ણાતને આત્મા કેમ ન સોંપાય ? શ્રીમતે, રાજામહારાજાએ શરીરને અંગે વૈદ્ય, ડોકટરને કેટલા આધીન રહે છે ? “આ ન ખાવું, આ ન પીવું તે તરત તેને અમલ.. તેઓ પોતાની અમલદારી બંધ કરી ડેકટરના હુકમને તાબે થાય છે. ને? અમુક સ્થળે રહેવા જાઓ, હવા ફેરકરે, તે તરત ત્યાં દોડી જવામાં આવે છે; કડવાં ઔષધો ગળે ઉતારાય છે, પરહેજ પાડવામાં