________________
હુ છે કે
૪૦.
આનંદ પ્રવચન દર્શન પ્રાપ્ત કરવું. બીજી બધી બહેકાવટ છે. દુનિયાના સંજોગે નવાં નવાં કારણે ઉત્પન્ન થાય, ત્યારે બહેકાવટ થાય છે. દુનિયાએ ચાંદી, સેનાને કિંમતી ન ગણ્યાં હોત તો કાંઈ ન હતું. જેવી રીતે દુનિયાની બહેકાવટે કિમતીપણું લાગે પણ તે બધી ઈચ્છાઓ કૃત્રિમ છે.
જન્મે ત્યારે બે જ ઈચ્છા હોય છેઃ “સુખને મેળવવું ને દુઃખને દૂર કરવું.” અર્થાત્ દુખથી દૂર થવું અને સુખ મેળવવું એ જીવનને સ્વભાવ છે. સુખ એવું માગે છે કે ભોજન કરવા બેસે તે લાડવા પિરસ્યા હોય, થોડું ખાવ એટલે બીજા રસની ઇચ્છા થાય. પણ સુખ ભોગવતા કેઈ દહાડે દુઃખની ઈચ્છા થતી નથી. પપ સુધી સુખ ભેગવીએ પણ થોડું દુઃખ ભેગવીએ એમ થતું નથી. વચમાં શાક તરીકે પણ દુઃખ જોઈતું નથી. સહેજે કઈ ચીજ માગીએ તે પાંચ વર્ષ મળે તે બસ, બાર માસનું સાધન મળે તે બસ એમ થતું નથી. સુખ જોઈએ પણ તે દુખવાળું ન હોય, આગળ જે ખસવાનું ન હોય, જે સુખમાં આગળ દુઃખ આવતું હોય તે તે દુઃખરૂપ છે. ઝાડ નીચે બેસે તે સુખ મળે, પણ તડકે વધારે થાય ત્યારે ત્યાં બેસતા નથી. ઝાડ નીચે બેસીએ તો પરિણામે વધારે તાપ, ભૂખ, તરસ લાગે તે ત્યાં બેસવાની મૂર્ખાઈ કરી કહેવાય. કલાક ગુમાવી દીધે, ઝાડ નીચે બેસવાથી વધારે તાપ થયે, ત્યાં આગળ બેસી બધે ટાઈમ બગાડે. એક બે વાગે મહેમાન તરીકે કેઈને ત્યાં જાઓ. તે ત્યાં શું મળે ? બાર લગી જાઓ તે ઠીક, પછી તે બધામાંથી રખડવું પડે. ઝાડ નીચે શાંતિ હતી, છતાં ત્યાં બેસવામાં મૂર્ખાઈ કેમ ગણે છે ? આગળ જેનાથી દુ:ખ થાય, વર્તમાનમાં સખ હોય પણ પછી, દુખ હોય તો તે દુ:ખ જ ગણાય,
આપણને બધી વાતે સુખ જોઈએ છે. દુખ વગરનું, હંમેશાં રહેવાનું અને સંપૂર્ણ આવું સુખ જીવ માગે છે. હવે માગ્યા છતાં, મનમાં મેતીના ચોક પૂરીએ તેથી તેની કિંમત ન ઊપજે, પણ તેનાં કારણે મેળવીએ ત્યારે કિંમત મળે. કુંભાર માટી લાવે ત્યારે ઘડે મેળવે, સાળવીને લુગડું વણવું હોય તે તેણે સુતર લાવવું જોઈએ. કારણ કે લુગડાંનું કારણ સુતર છે.