________________
૩૦૪
આનંદ પ્રવચન દર્શન ઋદ્ધિમાનનું સન્માન ખમાતું નથી, માટે તેઓ એમ બેલે છે. શ્રીદશવૈકાલિકમાં રે કહ્યું તે પણ ઋદ્ધિમાનને અંગે જ છે. પ્રતિક્રમણવસરે રાજામહારાજાને કે ઋદ્ધિમાનને આચાર્ય ઘર્મોપદેશ દેવા બેટી થાય અને તેથી આખી મંડળીને મેંડું થાય તે કાળની (સમયની) અપેક્ષાએ છે. ધર્મના કથનના સ્વરૂપમાં કે રીતિમાં ફરક નથી. ગરીબને તપમાં લાભ બતાવવામાં આવે અને પૈસાવાળાને ખાવામાં લાભ બતાવવામાં આવે છે એમ નથી. સમ્યગ્દર્શનાદિ ધર્મનું સ્વરૂપ તો શ્રીમંત કે રંક તમામ માટે સમાન છે. ધર્મના બેધ. સંબંધી પરિશ્રમમાં ફરક પડે ત્યાં શાસ્ત્રને બાધ નથી.
મૂળ મુદ્દા પર આવીએ. ઘર્માત સ્ટામ: સાધુ જે લે છે તે હકક તરીકે નહિ. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, કાન, બાળ, વૃદ્ધાદિની. વૈયાવચ્ચરૂ૫ ધર્મને અંગે લાભની અપેક્ષાથી સાધુ અન્નાદિ ગ્રહણ કરે છે, દેનારને ઘમરા ઢામ છે. દેનાર, સાધુને સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્રમાં સહાયાથે દે છે માટે તેને પણ ધર્મની પ્રાપ્તિરૂ૫ લાભ છે.
આવી પ્રતિજ્ઞાપૂર્વક વિરતિયુકત સાધુએ ગ્રહણ કરેલી ચીજ સમ્યગ્દર્શનાદિ વગરના જીવને આપે તે પિતાની પ્રતિજ્ઞા તૂટે છે. સાધુએ વહેરેલી વસ્તુ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યકુચારિત્રરૂપ ધર્મ જ્યાં વૃદ્ધિ પામતું હોય ત્યાં જ વાપરી શકાય.
કેઈને એમ પણ થાય કે સમ્યફચારિત્રમાં રહીને લીધેલ પદાર્થ રાખમાં પરઠવવામાં ધર્મ ક્યાંથી ?
તેને માટે કહેવું જોઈએ કે જેને પિતાના ધર્મનું જ્ઞાન પણ પૂરું જાણવું નથી ત્યાં શું થાય? અષ્ટપ્રવચનમાતામાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ છે. પારિષ્ઠાપનિકા સમિતિ પણ પાંચ સમિતિમાંની એક છે. પરઠવવું તે પણ એક સમિતિ છે. સમિતિ તે માતા છે. સમિતિ ચારિત્રની ઉત્પાદક છે, પિષક છે, ભકિત સાથે વિવેક રહે એ વાત જુદી છે. પરઠવવું તે સમિતિ છે. ચારિત્રને અંશ છે. માત્રોની વિનઃ આ રીતિએ સાધુઓ જે મળે તેથી વૃદ્ધાદિની વૈયાવચ્ચ અને પિતાને નિભાવ કરનારા હોય છે.