________________
૩૯૮
આનંદ પ્રવચન દર્શન mannannnn
એ જ મુજબ માધુકરીવૃત્તિમાં એ મહાન ગુણ છે કે જેથી સ્વેચ્છકુળથી ગેચરીને નિષેધ છતાં તે પાપ પેલા માધુકરીના લાભની પાસે કાંઈ ગણતરીમાં નથી. આથી સ્વેચ્છકુળની ગોચરીમાં શાસ્ત્રદષ્ટિએ વાંધો નથી એવો અર્થ કરનાર અનર્થ કરે છે. આખા ગામને, દેશને પવિત્ર કરનાર દેવ છે એમ ગણીએ છીએ : એવા દેવતાના ગુરૂની પવિત્રતામાં પૂછવું જ શું. ઉત્તમના પગની રજ (ધૂળ)ને પણ પવિત્ર ગણવામાં આવે છે, તે પછી આવા દેવતાના ગુરૂને ત્યાંથી પણ તમામ રસોઈ લેવાની મનાઈ શા માટે છે ? માધુકરીવૃત્તિને ભંગ ન થાય તેટલા જ માને ? માધુકરીવૃત્તિને ભંગ થતો હોય તે દેવતાઓના ગુરૂની પવિત્રતાની પણ ગણના નથી. જેમ અહીં મ્લેચ્છકુળની ગોચરીની છૂટ નથી, તેમજ પવિત્ર સ્થળેથી મળતી વસ્તુ લેવી જ એમ પણ નથી. દોષ બને પક્ષે એકાન્તમાં છે. સાધુઓ ભિક્ષામાત્રથી નિર્વાહ કરનારા છે.
જેઓ કહે છે કે “સાધુઓ મફતનું લે છેઃ બદલે આપતા નથી,” તેઓ ભિક્ષા ધર્મના સ્વરૂપને સમજ્યા જ નથી. ભિક્ષા જે હરામખેરી હોય, લૂંટ હોય, ધાડ હોય, મફતિયા માલરૂપે મનાતી હોય, હરામનું અન્ન છે એમ મનાતું હોય તે ભિક્ષાવૃત્તિને ધર્મ ગણે શી રીતે ? અને જે તે ધર્મરૂપ ન હોય તે પછી એવી ભિક્ષામાત્રથી જ નિર્વાહ કરનારા ગુરૂને ગુરૂ પણ શી રીતે ગણાશે ? સાધુ થતા પહેલાં તેઓ છતી ઋદ્ધિસિદ્ધિને ત્યાગ કરે છે, સ્ત્રીપુત્રાદિ પરિવારના મોહને મર્દન કરીને આવે છે, અને ભિક્ષાવૃત્તિ કરે છે, એ ભિક્ષાવૃત્તિને ધર્મ માનીએ તે જ સાધુની ઉત્તમતા ગણી શકાય તેમ છે. સમ્યફવમાં ધૈર્ય અને ભિક્ષાવૃત્તિમાં ધર્મ મનાય તે જ સાધુની શ્રેષ્ઠતા મનાય તેમ છે. તેમને તે દુનિયાદારીને પક્ષ ખેંચે તે સારો લાગે. પણ સાધુઓએ દુનિયાદારીને તે પહેલેથી જ વિવિધ ત્રિવિધથી દફનાવી દીધી છે.
ભજ કલદારની ભાવના ભૂલશે,
તો જ સાચા ગુરૂને ઓળખી શકશે. શ્રેણિક મહારાજ રાજ્યથી ભ્રષ્ટ થયા, ચેડા મહારાજા સરખા