________________
જેન કોણ?
૪૦ તે જ ગુરુતત્ત્વમાં પણ સુંદરતા આવી શકે છે અને દેવતત્વની સુંદરતા એ જ ધર્મતત્ત્વમાં પણ સુંદરતા લાવે છે. આથી જ દેવતત્વને પહેલું કહેવાની શ્રીમાન શાસ્ત્રકાર મહારાજાઓએ જરૂર માની છે.
દેવતને આગળ કરવાનું બીજું એક કારણ છે. તે કારણ એ છે કે આ જગતને ધર્મને માર્ગે વાળનાર જે કઈ પણ તત્ત્વ હોય તે તે દેવતત્ત્વ જ છે. આ સંસાર અનાદિકાળથી રાગદ્વેષાદિ વિકારોમાં દોરાયેલું હતું. કેઈપણ ધર્મ યા સંપ્રદાયે આ સંસારને એવો ઉપદેશ આપ્યું નથી કે તમે વિષયવિલાસમાં દોરવાઈ જાઓ, તમે વ્યભિચારાદિમાં પ્રવૃત્ત થાઓ અથવા બીજી કષાયપોષક પ્રવૃત્તિઓ ચલાવે. પરંતુ તે છતાં પણ આ સંસાર વિના કહે એવા માગે દોરાઈ ગયેા હતો. કડવી વસ્તુ ખરાબ લાગે છે એ વાત કેઈને શીખવવી પડતી નથી, મીઠાશ સારી છે એ વાત કેઈને કહેવી પડતી નથી, છતાં સંસાર મીઠાશને રહાતું બન્યું છે.
પિતાને જે વસ્તુ અનુકૂળ હોય તે તેને સારી લાગે છે અને પિતાને જે વસ્તુ પ્રતિકૂળ હોય તે ખરાબ લાગે છે. આત્માની આ પ્રવૃત્તિ અનાદિકાળથી ચાલી આવેલી છે. આ પ્રવૃત્તિ માટે આત્માને બાધ આપવો પડતો નથી અથવા તે તેને શીખવવું પડતું નથી. પરંતુ એ જ્ઞાન તેને સ્વાભાવિકપણે જ રહેલું છે. ઈન્દ્રિયાને અંગે અનુકૂળતામાં સુખ અને તે જ ઇન્દ્રિયને અંગે પ્રતિકૂળતામાં દુઃખ, એ વાત જીવન વિષે સ્વાભાવિકપણે જ રહેલી છે. એ જ્ઞાન બાળકપણમાં મળ્યું નથી, પરંતુ ગર્ભમાંથી જ તેને તે જ્ઞાન થએલું હોય છે.
એક સ્થળે એકવાર એ બનાવ બન્યું કે એક બાઈ ગર્ભવતી હતી. આ ગર્ભ આઠ માસને થે. એવામાં અચાનક કેઈ કારણથી ગર્ભમાંથી બાળકને હાથ બહાર નીકળી આવ્યું. નિમાંથી ગર્ભને નીકળેલો હાથ પાછો અંદર જાય તે માટે ગર્ભવતી બાઈએ બહુ પ્રયત્ન કર્યા પણ કાંઈ પત્તો લાગ્યું નહિ. કેટલાયે ડોકટરો આવી ગયા, કેટલાય વૈદ્યો આવી ગયા પણ ગર્ભને હાથ બહારને બહાર તે કેમે કરી અંદર જાય જ નહિ! એવામાં એવું બન્યું કે એક ૨૬