________________
४०४
આનંદ પ્રવચન દર્શન ફેરફાર છે તે તેમના જ્ઞાન અને તેમની વિદ્વત્તાને લઈને છે, બીજા કશામાં નથી. બીજા દેવોએ પશુ, પક્ષી, કીડી, મંકડીમાં જ જીવ માન્યો છે ત્યારે શ્રીમાનું જિનેશ્વર ભગવાને એ વનસ્પતિ સુદ્ધાંમાં જીવ માને છે. પ્રોફેસર જગદીશચંદ્ર બેઝે હજારો રૂપીઆ ખર્યા, સેંકડો પ્રયોગ કર્યા, જબરી માથાફેડ કરી ત્યારે તેમણે શોધ કરી. કે વનસ્પતિમાં પણ જીવ છે. હવે તમે એમ કહે છે કે વનસ્પતિમાં જીવ છે એ શેાધ શ્રીમાન બેઝે કરી. પણ જિનશાસનનાં પુસ્તકો ઉઘાડી લેશે તે માલુમ પડશે કે શ્રીમાનું જિનેશ્વરદેવોએ તે હજાર વર્ષ ઉપર એ વાત જ્ઞાનથી જોઈને તે જગતની સામે જાહેર કરેલી છે. શ્રીમાન જિનેશ્વરદેવોએ પુદ્ગલના ગુણધર્મને અનુસરીને શબ્દ એ પુદગલરૂપ છે એમ જગતને જણાવ્યું હતું ત્યારે એ શબ્દને પુદગલરૂપે નિયાયિક, વૈશેષિક, વૈદિક કે વેદાંતિક, એકે મતવાળાએ માન્ય રાખ્યું ન હતું. તેમજ શબ્દને પદાર્થ તરીકે કે દ્રવ્ય તરીકે પણ માનેલ ન હતું. તે સર્વજ્ઞોએ શબ્દને પુદગલરૂપે પહેલેથી જાહેર કરેલ છે. અર્થાત્ શાસ્ત્રોમાં કહેલા શબ્દનું દ્રવ્યપણું તીર્થકરેએ જ્ઞાનથી જેઈને પહેલેથી જ જણાવ્યું હતું. ભગવાન શ્રી તીર્થકરદે પાસે નહોતી કેઈ લેબોરેટરી કે પ્રયોગશાળા, કે નહોતા કોઈ સંશોધનના નવાં નવાં મશીને. તેઓ તે દિગંબર દેવતા હતા. એમણે જે સત્યે સંસારની સામે ધર્યા છે તે પ્રયોગથી યા અખતરાથી નથી કહ્યાં. પરંતુ જ્ઞાનથી કહ્યાં છે. શબ્દાદિ વિષયનું જ્ઞાન આજે જે સત્ય મનાય છે. એ જ્ઞાન તેમને પહેલેથી જ હતું. નૈયાયિક અને વૈશેષિકોએ પાણીને વતંત્ર તત્ત્વ માન્યું હતું. એ જ સમયે શ્રી મહાવીરદેવે તે
સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે પાણી એ પવનને વિકાર છે અર્થાત વાયુના મિશ્રણથી પાણી બને છે. ભગવાનના એ શબ્દો તે કાળે કેઈએ સાચા માન્યા ન હતા.
આજે ૨૫૦૦ વર્ષો પછી, હજારો રૂપિયાના ખર્ચે, હજારો માઇલ દર રહેલા ગોરાઓએ પ્રયોગ કરીને એ વાત જાહેર કરી.