________________
vv
૩૨૦
આનંદ પ્રવચન દર્શન નથી. નિર્દોષ ભિક્ષાનું ઉપજીવન તે સાધુમાં જ છે. તેઓ વચ્ચે આહાર પરઠવી દે પણ રાખી નહીં મૂકે.
અહીં પણ સહજ પ્રશ્ન થશે કે આજે લઈને બીજે દિવસે ખાય તે રાત્રિભેજન કહેવાય, તેથી સાધુ સંચય ન કરે પણ વધેલા આહાર. ગરીબને કે જનાવરને દે તે અડચણ શી?
ઉત્તરમાં જાણવાનું કે દુનિયાદારીના અનુભવી હોવાથી તમને એ તો સારી રીતે માલુમ હશે કે ટ્રસ્ટડીડમાં જે રકમ જે રૂપે લખાઈ હોય તેમાં ફેરફાર કરવાની લેશમાત્ર પણ ટ્રસ્ટીઓને સત્તા નથી. ટ્રસ્ટીઓ માત્ર ટ્રસ્ટડીડમાં લખ્યા મુજબ વહીવટ કરી શકે છે. વિદ્યાભ્યાસ માટે લખવામાં આવેલી રકમને જરૂર હોય તે પણ વસ્ત્ર કે દવા માટે વાપરવાની ટ્રસ્ટીની સત્તા નથી.
એ જ રીતે મુનિમહારાજાઓ વહરતી વખતે કઈ કબૂલાત આપે છે? એ કબૂલાત જેવી તેવી નથી! ધર્મલાભ ! ! !
ધર્મલાભ એટલે ? મેળ ઢામ ઘર્મઢામ કેઈની પાસેથી ચીજ લેવાને કેઈને હકક નથી. કેઈની પણ ચીજ પિતાને મળે તે ઠીક આવું ધારવા, વિચારવાને પણ હકક કેઈને નથી. અંતરાયકર્મ બાંધવાની. જડ જ આવા વિચારે છે. “અન્યની ચીજ પિતાને મળે તો ઠીક, પિતાની થાય તો ઠીક,” આ વિચાર કરે એ જ અંતરાયકર્મ બાંધવાને રસ્તે છે.
ત્યારે સાધુ પારકી ચીજ કઈ રીતે લઈ શકે? ઘન ગ્રામ એ શરતે લઈ શકે.
પિતે નિષ્કિચન છે, નિરારંભી ધમી છે, મહાવ્રતધારી છે, સંયમરૂપ ધર્મના પાલનના સાધન તરીકે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, દાંડા, પાનાં, પુસ્તક, પોથી આદિ ઉપકરણની આવશ્યકતા છે માટે તે લે છે તેમજ ધર્માદ ઢામ એટલે જે વસ્તુ લેવામાં આવે તેને ઉપગ પણ ફક્ત ધર્મને જ માટે કરવાને. એ પણ કબૂલાત છે જ.
વળી તેમાં પણ પ્રશ્ન થાય કે પોતાના ક્ષાયોપથમિક જ્ઞાન લાભાદિક માટે તેને ઉપયોગ થાય તે તે ઠીક, પણ શિષ્ય, આચાર્ય,