________________
૩૩૮
આનંદ પ્રવચન દર્શન
નામધારી સાધુઓને રહેવાના મઠો-મંદિરે કે ઉપાશ્રયે ચેડા છે, તે પછી સાચા સાધુઓને માટે તે કેટલા હશે એની કલ્પના કરવી જ બસ છે ! આપણે સમાજમાં પણ જુએ છે કે ઉપાશ્રયે ગણ્યાગાંઠયા છે, પરંતુ ગૃહસ્થનાં ઘરે તે અગણિત છે. આથી સિદ્ધ થાય છે, કે આત્માની સ્વાભાવિકતા પતનની છે, ઉથાનની નથી. આ જીવને ખાવું, પીવું, લે, દેવું, ઘાલમેલ, ધમાલ, ઈત્યાદિ ગમે છે અને તેમાં જ રાચી રહેલ છે. આ જીવને એ વિચાર કદી આવ નથી કે હું કોણ છું ? કયાંથી આવ્યો છું? મારી શી દશા હતી ? શી દશા છે ? અને શી દશા થવાની છે ? મારું મૂળસ્વરૂપ મને શી રીતે મળી શકે એમ છે અને મારા એ સ્વરૂપની પ્રાપ્તિમાં મને કયાં વિધ્રો નડે છે ! અને એ મારાં વિઠ્ઠો હું કેવી રીતે ટાળી શકું એમ છું ?
દયા અને તેના પ્રકાર આ આત્મા જ્યારે આ વિચાર કરે છે ત્યારે જ તે ભાવદયાની સ્થિતિને પામે છે. દ્રવ્યદયા સમજુ અને અણસમજુ બંને આચરી શકે છે. ક્રમાં ક્રૂર માણસને પણ સામા માણસને મરતે. દેખીને દયા આવે છે, પરંતુ તેમની એ દયા ભાવદયા નથી, પરંતુ દ્રવ્યદયા છે, પરંતુ આ દ્રવ્યદયાવાળાએ બારણું ઉઘાડાં રાખીને ખાળે ડૂચા મારે છે ! એક અન્ય આત્મા મરવા પડે હોય તેથી તેઓ કંટાળે છે, એની તેને દયા આવે છે, પરંતુ પોતાને જ આત્મા સેંકડે જન્મ અને સેંકડે મરણ પામે છે, પામે છે અને પામશે, તેનું ભાન નથી અને એ અસંખ્ય જન્મમરણનાં કારણેને તે દૂર કરવા માગતા નથી ! મરણથી આખું જગત ડરે છે, આખી દુનિયા - જીવવા ઈચ્છે છે, પરંતુ જગતને એ ડર માત્ર ચાલુ મરણને અંગે જ છે, અને તેથી પ્રત્યેક જીવ-અનેક છે અનેક મરણેની સામગ્રી પ્રતિક્ષણ તૈયાર જ કરે જાય છે, તેથી કોઈને ડર કે ક્ષોભ થતો નથી ! આત્મા સિત્તર કડાકોડી સાગરોપમની મેહની સ્થિતિ બાંધે છે, એ કર્મ ભોગવવાને કેટલાં વરસ જોઈએ ? જગતમાં તેત્રીસ