________________
૩પ૬
આનંદ પ્રવચન દર્શન દેવ ઉપર જ છે અને ગુરુએ દેને જ આદર્શ તરીકે બતાવે છે. દેવનું જે વરૂપ છે, તે આદર્શ છે. એ આદર્શ દર્શાવીને તે સ્વરૂપને પહોંચવાને માટે સુધર્મ રૂપ રસ્તે પ્રયાણ કરવાની ઉત્તેજના અને સહાયતા આપવી એ જ ગુરુઓનું કર્તવ્ય છે.
મૂર્તિપૂજા યોગ્ય છે કે અગ્ય?” તીર્થકર ભગવાનની સ્તુતિ કરતાં મૂર્તિી ઝિનgવા મવતુ છેતરી નામ્ આવા શબ્દો મૂકવામાં આવ્યા છે. ભગવાન તીર્થ. કર દેવની સ્તુતિ કરતાં આ શબ્દો શા માટે મૂકવામાં આવ્યા છે તેને હવે વિચાર કરે. અહીં કહેવાનો આશય મૂળ એ છે કે આત્માના સાધ્ય તરીકે અને આત્માને પ્રાપ્ત કરવાની વસ્તુ તરીકે એ જ વસ્તુ છે કે જે વસ્તુ ભગવાન શ્રી તીર્થંકરદેવોએ પ્રાપ્ત કરી છે. ભગવાન તીર્થકર મહારાજ જેમ આત્માનું કલ્યાણ કરી શક્યા છે, તે જ પ્રમાણે આપણે પણ જે એ જ માર્ગે જઈએ તો આપણે પણ આપણા આત્માનું કલ્યાણ અવશ્ય સાધી શકીએ. આ દષ્ટિએ જનશાસનની મૂર્તિપૂજા વૈજ્ઞાનિક અને વાસ્તવિક ઠરે છે. જેને મૂર્તિ પૂજા કરે છે તે આ રીતે વ્યાવહારિક, વાસ્તવિક અને વિજ્ઞાન તથા માનસશાસ્ત્રના નિયમને અનુસરતી છે. પરંતુ જૈનની મૂર્તિપૂજા જેઈને બીજાઓ પણ મૂર્તિપૂજાને વાસ્તવિક ઠરાવવા મંડી જાય છે.
અહીં ધ્યાનમાં રાખવાનું છે કે અન્યદર્શનીઓ જે મૂર્તિપૂજા કરે છે તે કઈપણ રીતે વ્ય કિવા વાસ્તવિક નથી. બેરી-છોકરાંવાળા ભગવાન એ આદર્શ નથી. ભગવાન શ્રીજિનેશ્વરદેવોની સૌમ્ય અને શાંત પ્રતિમા હોય છે. તેને આપણે જોઈએ કે તુ આપણા આત્મામાં પણ એવા સૌમ્ય ભાવના જાગે છે કે “અહા ! શું આ ભગવાનના મેઢા પર શતતા અને સૌમ્યતા પથરાએલી છે! ખરેખર, મારે આત્મા આવી દશા કયારે પામશે ?” આપણા અંતરમાં જ્યાં આવે વિચાર પ્રવર્તે છે કે ત્યાં આપણી મૂર્તિપૂજા સફળ થાય છે.
હવે ધારો કે એ જ આપણું તીર્થકર ભગવાનને રાણી સાથે ઊભા રાખીએ, તેમના હાથમાં હથિયારે આપીએ અથવા તેમને