________________
૩૬૨
આનઃ પ્રવચન દન મુદ્દાના ભેદ સંભવી શકે નહી. જે મુદ્દાએ જૈનશાસનમાં રજુ થયા છે તેનાથી ઊલટી જ વાતા કથનીમાં સંભવી શકતી જ નથી. તમે હિ'સા કરો, જૂઠ્ઠું બોલજો, ચે!રી કરો, સ્રગમન કરTM, પરિગ્રહ રાખજો, ક્રોધાદિક કરજો ઇત્યાદિ આજ્ઞાએ કથનીમાં કદી પણ આવી શકે જ નહિ. હવે એ પ્રશ્ન મૂકીને આપણે મૂળ પ્રશ્ન, જે દેવનુ સ્વરૂપ કેવું હાવુ' જોઇએ ’ તે પ્રશ્ન ઉપર આવીએ.
6
વીતરાગપણે મૂતિ કેમ ?
શ્રીમાન જિનેશ્વરદેવાને આપણે વીતરાગ સ્વરૂપે દેખીએ છીએ. શ્રીમાન જ્ઞાનીમહારાજાએ એ અનતા ખળના સ્વામી છે. ગોવાળિયાએ આવીને ખીલા મારી જાય છે તેા પણ તેઓ એ સઘળું શાંતિથી સહન કરી લે છે. ભગવાને આવા ઘાર ઉપસર્ગા વેળાએ પણ ભવ્ય શાંતિ રાખી હતી અને આપણાથી એ શાંતિ નથી રખાતી એનું શુ કારણ છે ?
આ બધા વિચાર આપણને દેવતાએના સ્વરૂપ ઉપર દોરી જાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ'માં તમે ધ્યાન દઈને નેશે તે માલુમ પડશે કે બધું કલ્યાણનુ જ લક્ષણ રાખવામાં આવ્યુ છે. અન્ય લક્ષણાને પ્રતિમાએમાં સ્થાન આપવામાં આવતું જ નથી. ભગવાન શ્રી મહાવીરદેવની જે પ્રતિમા છે, તે ઉપર ભગવાનની જ્ઞાનીદશાનાં લક્ષણા છે. બીજા લક્ષણા નથી. એ મુદ્દો ખડુ સમજવા જેવા છે. જો ભગવાનના જેવા આકાર અને રંગ હતો, તેવા રંગ અને આકારવાળી મૂર્તિ બનાવી દેવી એટલેા જ જો ઉદ્દેશ હાત તે તા ભગવાને માતાનુ સ્તનપાન કર્યુ હશે તે વખતની ભગવાનની મુદ્રા સ્હેજે આનંદિત જ હશે. તેા પછી શા માટે માતા સાથે સ્તનપાન કરતી ભગવાનની પ્રતિમાઓ કરવામાં આવી નથી ?
આ સઘળાનુ કારણ એટલું જ છે કે આ બધામાં ધ્યેય શુ છે તે તરફ ધ્યાન આપીને તેને જ અનુકૂળ બધી વસ્તુની રચના કરી છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવ વીતરાગ સ્વરૂપે છે. આથી જ વીતરાગપણાની મૂર્તિ હોવાથી એ મૂર્તિ દ્વારા આપણે વીતરાગતાના