________________
૩૮૪
-
આનંદ પ્રવચન દર્શન
જુવાન કે વૃદ્ધ ? બધા જ લીન છે. મનુષ્યમાં જરા મેટે કહો કે ઊંચે કહો તે વર્ગ આબરૂ ઉમેરે છે. નાના કે હલકાવર્ગને આબરૂ હતી કયારે કે જવાની છે? આ ચીજોને સથવારો કયાં સુધી ?'
જે જ્ઞાતિમાં લગ્ન એ પવિત્ર ગાંઠ ગણાય છે, બંધનકારક ગણાય છે, તે જ્ઞાતિમાં સ્ત્રીને ભરોસે રાખી શકાય છે, તેને ઘરેણું. સંપી શકાય છે. કબાટ કે તીજોરીની કુંચી પણ તેને ભળાવી શકાય છે. જીવનમરણને સંબંધ સંધાય છે એમ જાણે છે માટે વિશ્વાસ રાખવામાં આવે છે. પણ મનસ્વી લગ્ન હોય તે ? ભાડૂતી લગ્ન હેય. તે તે વિશ્વાસ રખાય નહીં, ભાડૂતી મકાનના જેવા ભાડૂતી લગ્નમાં પણ મરજી હોય ત્યાં સુધી સંબંધ હોય છે. મોટા મેટા યુરેપીઅોમાં પણ મિસ્ટર અને મિસીસનું ખાતું જુદું હોય છે. એનું કારણ એક જ છે કે તે લગ્ન મરજિયાત સંબંધનું છે. જ્યાં લગ્ન તેવું હોય છે, ત્યાં મૂડીને તથા જીવનને ભરોસો રાખી શકાતું નથી.
આપણી કેમમાં જીવન સુધીના ફરજિયાત સંબંધવાળું લગ્ન. છે. મરજિયાત સંબંધવાળી લગ્નની ગાંઠ ઉપર ભરોસે રખાય નહિ. ત્યાં તે ઘડીમાં રાગ, ઘડીમાં ઠેષ ! એમ ન થાય, તેથી જ ઊંચી જ્ઞાતિવાળાઓએ લગ્નની તેવી મરજિયાત વ્યવસ્થા રાખી નથી. આ આત્માએ કાયાની સાથે લગ્ન કર્યા છે. આ આત્મા કાયાની આહારાદિ. પાંચ ચીજ અગર આબરૂ સાથે છ ચીજને વર્યો છે. આ પાંચ કે છ વસ્તુ આત્માને અધવચમાં રખડાવનાર છે. આત્મા આહારદિને મૂકવા. માગતું નથી, તે પણ તેણે તેને મૂકીને ચાલી નીકળવું પડે છે.
કર્મની સત્તાને એ કાયદો નિશ્ચિત થઈ ગયો છે કે આત્માએ કાયા સાથે જોડાવું અને વખત ભરાઈ જાય એટલે ચાલી નીકળવુંછૂટા પડવું. આ કાયદામાં કેટલી વખત રેસાયા? દરેક વખત કાયદાની કરવતમાં કપાયા. દરેક ભવમાં આહાર લીધે, શરીર બાંધ્યું, ઈન્દ્રિયે તૈયાર કરી, વિષયે મેળવ્યા, તેનાં સાધને મેળવ્યાં અને. વખત ખલાસ થયે એટલે તરત ખસ્યા !