________________
આજનું કપરું ચારિત્રપાલન
૩se તાત્પર્ય કે આજના ચારિત્રમાં આવાં બાહ્ય ઈચ્છાને લલચાવનારાં કારણેને અભાવ હોવાથી કલ્યાણબુદ્ધિ જ મુખ્યત્વે હવાને સંભવ ગણાય. આજે કલ્યાણબુદ્ધિ નથી એમ કેમ કહી શકાય ? આજે ઘરબાર વગેરેને સદંતર ત્યાગ કઈ લાલચે થાય છે ? કિયાના ઉત્થાપકે આજના ચારિત્રને ઉડાવવા ઈચ્છે છે એ જ છે, બાકી અત્યારના ચારિત્રમાં કલ્યાણબુદ્ધિ રહી હોય એમ સહજ માની શકાય તેમ છે. વળી દુકાને શેઠની હાજરીમાં મુનિમ વફાદારી રાખે તેમાં કાંઈ નવાઈ નથી. હાજરીમાં તે વફાદારી ન છૂટકે પણ રાખવી પડે છે, શેઠની ગેરહાજરીમાં રખાયેલી વફાદારી તે ખરેખર સારી વફાદારી છે.
ચેથા આરામાં તે જ્ઞાનીઓ વિદ્યમાન હતા, દેવતાઓ પ્રત્યક્ષ દેખાતા હતા. અમુક ધર્મ કરવાથી અમુક દેવ થયો તે આ, અમુક ધર્મ કરવાથી અમુક રાજા થયો તે આ, તથા અમુક પાપથી અમુક જીવ નરકે ઉત્પન્ન થયે કે ખાળમાં ઉત્પન્ન થયે કે મૃત્યુલોકે ભયંકર વ્યાધિગ્રસ્ત થયું હતું તે આ–એમ પણ ખુલાસા મળતા હતા. મન:પર્યવજ્ઞાની તથા અવધિજ્ઞાની દ્વારા પણ જાણી શકાતું હતું ? ધર્મનો લાભ, પાપની શિક્ષા જ્યારે નજરે દેખાય તે વખતે તે ધર્મ પ્રત્યે વફાદારી રહે તેમાં નવાઈ નથી. તે વખતે તે ધર્મની આચરણ થાય તે સહજ છે પણ આજે જ્ઞાનીની ગેરહાજરીમાં, પ્રત્યક્ષ દાખલાઓ જેવા જાણવાના અભાવમાં વફાદારી સચવાય તે ખરે જ કિંમતી છે. આજે ચારિત્ર લેવાય અગર ધર્મ આચરણ કરાય તે જરૂર કિંમતી. છે તથા તેમાં કલ્યાણની બુદ્ધિને ઘણું જ સંભવ છે.
વળી પ્રાચીનકાળમાં ભોગની સામગ્રી સામાન્ય જનતા માટે મુશ્કેલ હતી, અને ઘણી ઓછી હતી, જ્યારે આજે સામાન્ય જનતા પણ તમામ મોજશોખ જોગવી શકે છે, વળી તે વખતે તે કઈ રાજા-મહારાજા અમુક નાટક કરાવે તેમાં અમુકને જ નેતરું ! નાટકે જે તે મનુષ્ય જોઈ શકતા નહોતા. આજ તો બે ચાર રૂપિયા ખર્ચના અફલાતુન નાટક અને સિનેમાદિ જોઈ શકે છે. તે વખતે નાટક, પોષાક, અલંકારાદિ ઉપર રાજ્ય તરફથી તથા નાતજાત તરફથી પણ અંકુશ