________________
૩૬૧
મૂર્તિ પૂજાનું રહસ્ય કર્મોદયથી કાર્યવાહી કરી હતી તે કાર્યવાહી એ ધર્મ નથી. તે જ પ્રમાણે એવા વર્તનના અનુકરણમાં ધર્મ આરાધન પણ નથી.
બાળજીને આધાર શાના ઉપર ? ભગવાનનાં જે કાર્યો કર્મોના ઉદયથી થવા પામ્યાં છે તે કાર્યનું અનુકરણ કદાપિ પણ હોઈ શકતું જ નથી. ભગવાનના હસ્તે થયેલાં આરંભસમારંભે એ પણ ધર્મ અથવા ધર્મનું અનુસરણ હોઈ શકે નહિ. ભગવાનના ક્ષપશમભાવવાળું જે કર્તવ્ય છે, તે જ બેશક અનુકરણીય છે, બીજું નહિ. પરંતુ તેનું અનુકરણ ભાગ્યશાળી જીવે વિના બીજોઓને માટે અસહ્ય છે. આથી જ બાળજીવોને માટે ભગવાનને ધર્મકથનરૂપ ધર્માજ્ઞાઓ આપવી પડી છે. અને એ ધર્મજ્ઞા ઉપર જ બાળજીવોનો આધાર છે. તમે જ્યારે ક્ષયપશમભાવને પામે અને સંપૂર્ણ શક્તિવાળા થાઓ ત્યારે બેશક તમારે ભગવાનનું આચરણ કરવાનું છે. પરંતુ જ્યાં સુધી તમારામાં એવી સંપૂર્ણતા ન આવે ત્યાં સુધી તમારે ભગવાનની આજ્ઞા ઉપર જ આધાર રાખવાનો છે. શ્રીમાન શાસ્ત્રકાર મહારાજાઓએ અઢી પહાર સૂવાની આજ્ઞા આપી છે. પરંતુ ધારો કે કોઈ શક્તિશાળી મનુષ્ય અઢી પર પણ નિદ્રા ન લે, તે તેથી શું એમ કહી શકાશે ખરું કે તેવા ગૃહસ્થોએ શાસ્ત્રાજ્ઞાને લેપ કર્યો છે?
નિદ્રા લેવાનું કારણ શું ? શ્રીમાન શાસ્ત્રકાર મહારાજાએ અઢી પર સૂવાની આજ્ઞા આપી છે, પરંતુ તે શા કારણથી આપવામાં આવી છે તે વિચારવાની જરૂર છે. નિદ્રાને સર્વથા પરિત્યાગ કરવામાં તમારી શક્તિ પહોંચતી નથી. તેટલા જ માટે તમારે નિદ્રા-અઢી પહેરની નિદ્રા લેવાને માર્ગે ચાલવાનું છે. જો તમે અશકત રહ્યા છતાં પણ એ માગે ન ચાલશો તે તેનું પરિણામ એ આવશે કે તમે ઊંચે ચઢી શકશો જ નહીં. અર્થાત અશકતોને શક્તિ મેળવવાને જે રસ્તે છે તે જ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની કથની છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની કથની અને કરણીનું આ રહસ્ય છે. છતાં યાદ રાખવાનું છે કે કથની અને કરણીમાં