________________
મૂર્તિપૂજાનું રહસ્ય
૩૬૫ આ રીતે જુદે જુદે સમયે જુદી જુદી દશા ધારણ કરે, છતાં ભગવાનની જે પ્રતિમા બનાવવામાં આવે છે તે દેશનાની મૂર્તિ, દેવદાની મૂર્તિ કે વિહાર વખતની મૂર્તિ હોતી નથી. ભગવાનની જે મૂર્તિઓ જૈનશાસનમાં છે, તે સઘળી તીર્થકર ભગવાને સિદ્ધ થવાના હોય તે વખતની અવસ્થાની મૂર્તિઓ હોય છે. આપણી મૂતિઓમાં માત્ર બે જ પ્રકાર છે : એક કાયોત્સર્ગને અને બીજો પર્યકાસનને.
આ સંસારમાં મેક્ષે ગએલા આત્માઓ અસંખ્ય હોય છે. અતીતકાળે અસંખ્ય આત્માઓ મેક્ષે ગયા છે, વર્તમાનકાળે અસંખ્ય આત્માઓ મહાવિદેહ ક્ષેત્રમાં મેક્ષે જાય છે અને અનાગત કાળમાં પણ અનંતા આત્માઓ મોક્ષે જશે સિદ્ધો કેઈપણ આકારે મેક્ષે જાય છે. જ્યારે સઘળા તીર્થંકર ભગવાને મેશે કાર્યોત્સર્ગ અને પર્યકાસન બે જ આકારે જવાના હોય છે. આ જ કારણથી ભગવાન તીર્થંકરદેવેની મૂતિ બે જ આકારવાળી હોય છે. અને તે બે સિવાય ત્રીજો આકાર, સંભવત નથી.
- હવે આજકાલના કેટલાક ડેળઘાલ સાધુઓ ડોળ કરે છે અને એ તીર્થકરની રીતે બેસે છે, તેમણે વિચારવાની જરૂર છે કે એ આકાર કેનો છે? અને ક્યા વખતને છે? સાધુઓએ બેસીને કાઉસ્સગ કરવો એવું કયા ગ્રંથમાં અથવા કયાં લખેલું છે ? વર્તમાન સાધુએ બેસીને કાઉસ્સગ કરે એ તેમને ખૂલ્લેખૂલે પ્રમાદ છે. અને તે પ્રમાદ ન કરવાની સ્પષ્ટ શાસ્ત્રજ્ઞા છે. કેવળ ડેળ કરવા તીર્થકરના રૂપક લેવાં એમાં કઈ પુણ્ય તે નથી જ, પરંતુ ઊલટું મહાપાપ છે. શ્રાવકે પણ જેઓ વતવાળા છે, તેમણે પણ ડાબા હાથમાં મુહપત્તિ અને જમણા હાથમાં ચરવળે રાખવા સિવાય કાઉસ્સગ્ન કરવાનું વિધાન કેઈપણ શાસ્ત્રમાં લખવામાં આવ્યું નથી.
- હવે એ બધાને સ્થાને આજે કેવી મૂર્ખાઈ ચાલી રહી છે તે જરા ધ્યાન દઈને જુઓ.
આજે તે શ્રાવક અને સાધુઓને તીર્થકર ભગવાનના આકારે કાઉસગ્ગ કરે છે અને તેવી છબીઓ પડાવી ખુશ થવું છે. વિચાર,