________________
૩૬૦
આનંદ પ્રવચન દર્શન
શકે છે તે રીતે કાગડાભાઈ ચાલી શકતા નથી. આ પ્રસંગે હસન ધર્મ છે કે તેણે કાગડાને માટે પણ ચાલવાને માર્ગ દર્શાવે જ રહ્યો. ભગવાન શ્રી જિનેશ્વરને માર્ગ એ હંસને માર્ગ છે. એ હંસને માર્ગ આપણે પ્રત્યેક જણ કદાપિ ગ્રહણ કરી શકતા જ નથી. તેથી જ ભગવાનને આપણને ગ્ય એવું ધર્મ કથન કરવાની પણ જરૂર પડી છે. અને આપણે એ માર્ગે જ ધીમેધીમે અનુસરવાનું છે. ભગવાન શ્રી જિનેશ્વઢે એ એટલા ઉત્કૃષ્ટ ભાવમાં આવેલા છે છે કે તેઓ જે પ્રમાણે વર્તે છે, તેઓ જેવી કરણી રાખે છે તેવી કરણી દરેક જ છે કદાપિ રાખી શક્યા નથી, રાખી શકતા નથી. અને રાખી શકવાના પણ નથી, એટલા જ માટે ભગવાનને બાલ
ના ઉદ્ધારને માટે ધર્મ કથન કરવું પડયું છે. ભગવાનનું અનુકરણ કરવાની જ જે વાત આવે અને બધા બાળજી પણ અનુકરણ કરવા જ મંડી જાય તે તેમની શી દશા થાય? તે જુએ.
ભગવાન પલાંઠી વાળીને બેઠા ક્યારે ? ભગવાનનું છદ્મસ્થપણું ૧રા વર્ષ પર્યતનું હતું. આ સાડાબાર વર્ષમાં નિદ્રાનો કાળ માત્ર બે ઘડી જેટલું જ હતું. જે ભગવાનના સઘળાં કર્મોનું પૂરેપૂરું અનુકરણ એને જ ધર્મ માનશે અને ધર્મ આચરનારને જ ધમી ગણશે તે ક એવો બાળજીવ છે કે જે માત્ર સાડાબાર વર્ષમાં માત્ર બે ઘડી જેટલો જ કાળ નિદ્રા ભોગવી શકશે? આ સાડાબાર વર્ષના કાળમાં ભગવાન શ્રી મહાવીરદેવ કદી પણ પલાંઠી વાળીને બેઠા નથી. તેમણે જ્યારે સતત્ તપશ્ચર્યાથી કેવળ– જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી, ત્યારે જ તેઓ પલાંઠી વાળીને બેઠા હતા.
હવે જે ભગવાનની કરણી જ ધર્મ હોય તે તમારે પણ છવાસ્થ અવસ્થામાં પલાંઠી વાળીને બેસવાને અવકાશ નહિ રહેવા પામશે અને છતાં જો તમે છદ્મસ્થ અવસ્થામાં પલાંઠી વાળીને બેસશો તે તમે ભગવાન શ્રી તીર્થંકરદેવના શાસનની અંદરના તેમના અનુયાયી ગણી શકાશે જ નહિ. આથી જ સહજ થાય છે કે ભગવાને જે