________________
મૃતિપૂજાનું રહસ્ય
૩૫૩ ઊંટ, ઘોડા કે હાથી ઉપર ચઢી બેઠેલા ચીતરીએ, તે એ પ્રતિમાઓ દેખીને આપણા અંતરમાં કે વિચારો આવવા પામશે? ભગવાન શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા અને સ્ત્રી, છોકરાં અને શસ્ત્રો સાથેની દેવની પ્રતિમા એ બંને પ્રતિમાઓમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા તે જ આદર્શ તરીકે વધારે વાસ્તવિક ઠરે છે. સ્ત્રી, છોકરાં કે હથિયારો સાથેની પ્રતિમા રાખવી એને કશે અર્થ નથી અને એ પ્રતિમાઓ આદર્શ પણ થઈ શકતી જ નથી.
તમે એ વાત તો સહેલાઈથી માન્ય રાખશે કે આદર્શ હંમેશાં ચાલુ સ્થિતિથી વધારે શ્રેષ્ઠ અને ઊંચા પ્રકાર હોય છે. સ્ત્રી, છોકરાં અને શસ્ત્રરૂપ અર્થ મેળવવાનાં સાધને એ સઘળું તે તમારી પિતાની પાસે પણ વિદ્યમાન છે જ, તે પછી જે વસ્તુ તમારી પાસે છે તે જ વસ્તુઓની પાછળ ભગવાન પણ ભટકતા હોય. બૈરીની પાછળ ગાંડાતુર થઈને દોડતા હેય અને હથિયારના ખણખણાટથી જ જે શત્રુઓને જીતી લેતા હોય, તેવા આત્માઓ તમારાથી કઈ રીતે શ્રેષ્ઠ કરે છે કે જેને તમે તમારો આદર્શ કરાવી શકે? કદાચ કેઈએમ કહે કે આપણી સમૃદ્ધિ અ૯પ છે અને બૈરી-છોકરાંવાળા શસ્ત્રધારી ભગવાનની સ્ત્રીઓ સંપૂર્ણ રૂપવતી છે, તેમને ધનકોષ પૂરો ભરેલે છે અને શસ્ત્રસંચાલનમાં તેઓ પરિપૂર્ણ કુશળ છે, માટે તેઓ આપણે આદર્શ છે. તે આ જવાબ પૂર્ણ છે એમ આપણે કદાપિ માની શકતા નથી, કેમ કે હંમેશાં આદર્શ તો તે જ હોવો જોઈએ કે જે અવિચળ હોઈ શકે.
કલ્યાણુમાર્ગનું સ્મરણ ક્યારે થાય? - ધન, પુત્ર, વૈભવ ઈત્યાદિ સઘળું એવું છે કે જે સનાતન અથવા અવિચળ નથી, પરંતુ તે સઘળું ચલિત છે. જે એ સઘળી વસ્તુઓ ચલિત છે તે એ સઘળી વસ્તુઓથી યુક્ત એવા ભગવાન પણ આદર્શ થવાને માટે અયોગ્ય જ છે, એ વાત સ્પષ્ટ થાય છે. મેળવેલી વસ્તુઓને ત્યાગ એ જ છેલી સ્થિતિ હેવાથીએ ત્યાગથી પરિપૂર્ણ એવા ત્યાગી ભગવાન એ જ આદર્શ તરીકે વાસ્તવિક છે, એ વાત તદ્દન સ્પષ્ટ