________________
જ્ઞાનપ્રવૃત્તિ
૩૫૧ એમને પુરાણે ચલાવવાં હોય, એથી તેણે કહ્યું : “અહીં શ્રાવક ન હોય તે એક વાત કરું.” તેણે આમતેમ નજર કરીને વાત કરવા માંડી. “ કેટલાક લે કે તીર્થની જાત્રા કરવા ગયા હતા. એ તીર્થને એવો પ્રભાવ કે પાણીમાં પાંદડું પડે કે તે માછલું થાય અને પાંદડું જમીન પર પડે કે તે તૃત ખીસકેલી થઈ જાય. એવામાં શ્રાવકકુળને છોકરો હશે, તે રખડતે રખડતો ત્યાં આવી ચડ્યો. તેણે પૂછ્યું :
પાંદડું અડધું પાણીમાં ને અડધું જમીન પર પડે તે શું થાય ? ખીસકોલી થશે કે મા છલું થશે ?”
વચનમાં વસ્તુને વિચાર કરે, કહેવાથી ન માને, તે શ્રાવકની ગળથુથીમાં હોય છે. તેમ અહીં જે પાપથી નિવૃત્તિ કરવી એ સાંભળવાથી માલુમ પડે. પાપની સ્થિતિ સાંભળવાથી માલુમ પડે. થોડા પાપની નિવૃત્તિ કરે, થોડું પાપ પ્રવર્તાવે તેનું શું થાય ? સર્વથા બંધ ન કરે, કેટલુંક બંધ ને કેટલુંક છૂટું. દેશવિરતિ એમને સ્થળ ની વિરતિ, ને સૂમની છૂટી, એનું શું થાય? સમર્થ દેશવિરતિ સાંભળવાથી માલુમ પડે છે. પાપથી સર્વથા વિરતિ સાંભળવાથી માલુમ પડે. તેથી શું કરવાનું જાણ્યું એટલું જ.
ભરૂજ રાજ્ય હતું. સમાચાર આવ્યા કે ફલાણે લશ્કર લઈને આવે છે. “સાંભળ્યું
ત્યાંથી લશ્કર નીકળ્યું. તે કહેઃ “જાણ્યું.” સીમાડા પાસે આવ્યું તે કહે: “બને” કિલ્લામાં પેઠું તો કહેઃ “હશે એમ પણ હેય” કિલ્લો લીધે તે કહેઃ “એમ થાય.”
આ બધી ખબર પડે પણ તેમાં વળે શું ? જાસુસેએ ખબર તે દીધી પણ વળ્યું શું? પાપથી સર્વથા વિરતિ અને પાપદેશવિરતિ -જાણવાથી માલુમ પડે તેથી શું ?
મનુષ્યને જાણ્યા પછી પોતાની પ્રવૃત્તિને ઉપયોગી જ્ઞાન થાય તે તે સાર્થક જ્ઞાન ગણાય. પ્રવૃત્તિને ઉપયોગી ન થાય, તે ખુલ્લી આંખે રિઆમાં (ખાડામાં પડે. થિરીઓ જુએ તેમાં વળ્યું શું?