________________
આનંદ પ્રવચન દર્શન કારણે મળતાં પિતાની મેળે જ અંકુરરૂપ બને છે. માટે જ અંકુરનું મુખ્ય કારણ તે બીજ છે અને માટી, પાણી, હવા એ બધાં સહકારી કારણે છે અથવા ઉપકારણે છે.
મોક્ષનું બીજ તે જ “ભવ્યત્વ”. એક ઉદાહરણ અહીં પણ આબાદ રીતે લાગુ પડે છે. ત્યાં જેમ બીજ મુખ્ય છે, તેમ અહીં મેક્ષ માટેનું બીજ તે જ ભવ્યપણું મુખ્ય છે, અને ત્યાં જેમ માટી, પાણી, હવા ઈત્યાદિ છે, તેમ અહીં જ્ઞાન, ચારિત્ર, તપસ્યા, તપ, વિનય આદિ છે. એટલે આ સઘળાં મેક્ષ મેળવી આપનારાં મદદનીશ કારણે અથવા સહકારી કારણે છે. મેક્ષ મેળવવા માટેનું મુખ્ય કારણ તે જીવનું ભવ્યપણું છે. ભવ્યપણારૂપી બીજ હોય તે જ જ્ઞાન, ચારિત્ર, તપસ્યા, તપ આદિની સહાયતાથી તેનું ફળ મોક્ષ મળી શકે છે. જે બીજ ન હોય તે માટી, પાણી, હવા વગેરે મળ્યા છતાં અંકુરો ઊગતું નથી. તે જ પ્રમાણે જેનામાં ભવ્યપણું ન હોય એવા આત્માએ નવ પૂર્વજ્ઞાન લીધું હોય, પ્રતિમાઓ વહન કરી હોય, શુકલ લેગ્યાના પરિણામવાળું અખંડ ચારિત્ર પાળ્યું હોય તે પણ તેને મોક્ષ મળી શકતું નથી એ સિદ્ધ છે. કારણ કે મોક્ષનું મુખ્ય કારણ ભવ્યપણું છે.
તપસ્યામાં બે-ચાર-છ મહિના ગાળે, મહિનાના મહિના તપ કરે, વિનય વૈયાવરચ કરે; બધું કરે પણ જ્યાં ભવ્યત્વરૂપી બીજ નથી. ત્યાં તે બીજનું ફળ મેક્ષ નહિ જ હોય એ તે ખુલ્લું છે. તાત્પર્ય એ છે કે મોક્ષ થવામાં મુખ્ય કારણ તે જીવનું ભવ્યત્વ જ છે, તે જ બીજ છે અને જ્ઞાન, તપ આદિ તે તેને મદદ કરનારાં કારણો છે.
અંકુર પરથી બીજની પરીક્ષા. હવે એ પ્રશ્ન આવીને ઊભું રહે છે કે આત્મામાં ભવ્યપણું છે એમ જાણવું કેવી રીતે? એવી કઈ નિશાની છે કે જે આત્મામાં ભવ્યપણું છે એ દર્શાવી આપે છે?
સાંભળે ? અંકુર ઊગે છે તેથી આપણે જાણીએ છીએ કે ફલાણે દાણે વાવ્યું હતું, તે જ પ્રમાણે મેક્ષ થાય ત્યારે જ આપણે જાણી