________________
૧૯૮
આનંદ પ્રવચન દર્શન ન હોય તે કેઈપણ જાતનું નુકસાન નથી. ત્યારે મનુષ્યનું જીવન કઈ દશાનું? જો આધારરૂપ પૃથ્વી ન મળે તે મનુષ્ય ગબડી પડે ! પાણી ન મળે તે મનુષ્ય મરી જાય ! તેજ-અગ્નિ ન હોય તે મનુષ્ય આંધળે બને! વનસ્પતિ ન હોય તે મનુષ્ય ભૂખે મરે! હવે વિચાર કરે કે મનુષ્યનું જીવન કેટલું બધું પરાધીન છે !
આજના જમાનામાં પોકળ સ્વતંત્રતાવાદી ઘણું મળશે, પણ કેઈ એવો સ્વતંત્રતાવાદી નીકળે છે કે જાણે એમ કહ્યું હોય કે મારે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કેઈને આધીન રહેવું નથી. હું એ બધા વિના ચલાવી લઈશ! આજે તે ઉત્તમ ચીજની આધીનતામાં રહેવું નથી પણ અધમ ચીજની ગુલામગીરી કાલાવાલાપૂર્વક કબૂલ રાખવામાં આવે છે ! અગ્નિ મનુષ્યને તાબે નથી, વનસ્પતિ આદિ અધમ ચીજ તેની ગુલામીમાં માણસ રહે છે, અને તેના વડે જ માણસનું જીવન ટકેલું છે, અને આ રીતે અધમ ની ગુલામીમાં રહેનારા માણસને સ્વાતંત્ર્ય લેવું છે! સ્વતંત્ર કેનાથી થવાનું હોય? અધમ વસ્તુથી ! તેને બદલે આજે શું થાય છે? પુન્યશાળી જીવોથી, ધર્મથી, માબાપથી, બુદ્ધિશાળી જેથી આજે તે સ્વતંત્ર બનવાની વાતે થાય છે!!!
મનુષ્ય, પૃથ્વી આદિ અધમ સ્થિતિમાં રહેલા જીવોથી જ્યારે સ્વતંત્ર બની શકતા નથી ત્યારે મનુષ્ય જ ક્ષે જઈ શકે અને બીજા જે મેલે ન જઈ શકે એમ કહેવું તે મિથ્યા છે. મનુષ્ય સિવાય મેક્ષ નથી, અને “મનુષ્ય તે પૂરેપૂરો પરાવલંબી છે” તે પછી બધા જીવ મેક્ષે જવાના છે એમ બોલી જ કેમ શકાય ? મૂંગે કહે કે
હું મૂંગે છે,” તે તમે શું કહે ? વદતે વ્યાઘાત જ કે કાંઈ બીજું. જે મૂંગે પોતાનું મૂંગાપણું બતાવવાનું પણ કહે કે “હું મૂગું છું” તે ખલાસ !! તે પોતે જૂઠે છે એમ તેની બોલી સાબિત કરે છે. તે જ પ્રમાણે મનુષ્યનું જીવન પણ એકેન્દ્રિયાદિ વગર રહી શકે નહિ એ સ્પષ્ટ છે, તે પછી “સઘળા જીવો મેલે જવાના છે એ વાત ત્યાં ને ત્યાં જ જૂઠ્ઠી થાય છે.